મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા નજીક ખેતર પાસેથી બાઇક હટાવવા મુદે ખેડૂતને બે શ્ખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના તીથવા નજીક ખેતર પાસેથી બાઇક હટાવવા મુદે ખેડૂતને બે શ્ખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં ખેડૂતે પોતાના ખેતર પાસે બાઈક ઊભું રાખ્યું હતું જ્યાંથી ટ્રેક્ટર લઈને પસાર થયેલા બે શખ્સોએ તેને બાઈક દૂર કરવા માટે કહ્યું હતું જેથી ખેડૂતે પાંચ મિનિટમાં બાઈક હટાવવાનું કહેતા ઉશ્કેરાયેલા બે શખ્સો દ્વારા તેને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા ખેડૂત દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે લાલસાનગરની અંદર રહેતા રિયાઝુદ્દીનભાઈ રહીમભાઈ ભોરણિયા જાતે મોમીન (૩૦) એ હાલમાં નંદાભાઈ નવઘણભાઈ ભરવાડ અને ભરતભાઈ નવઘણભાઈ રહે. બંને તીથવા ગામ વાળાની સામે તેને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ પોતાના હમીર તરીકે ઓળખાતા ખેતરે પોતાનું બાઇક લઇને ગયા હતા અને ખેતર પાસે તેઓએ પોતાનું મોટરસાયકલ ઊભું રાખ્યું હતું ત્યારે ત્યાંથી નંદાભાઈ અને ભરતભાઈ કડ ભરેલું ટ્રેકટર લઇને પસાર થઇ રહ્યા હતા અને ફરિયાદી યુવાન રિયાઝુદ્દીનભાઈને તેનું મોટરસાયકલ લઈ લેવા માટે કહ્યું હતું જેથી કરીને તેઓએ પાંચ મિનિટમાં બાઇક લઇ લેવા માટે કહ્યું હતું જેથી તે બંને આરોપી ઉશ્કેરાઈ ગયેલા હતા અને નંદાભાઈ અને ભરતભાઈ દ્વારા તેની સાથે માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભરતભાઈએ લાકડાના ધોકા વડે તેને ડાબા પગમાં માર માર્યો હતો અને નંદાભાઈએ મુંઢ માર મારી ઈજા કરી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને ભોગ બનેલા રિયાઝુદ્દીનભાઈએ બંને શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News