મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા નજીક ખેતર પાસેથી બાઇક હટાવવા મુદે ખેડૂતને બે શ્ખ્સોએ માર માર્યો


SHARE













વાંકાનેરના તીથવા નજીક ખેતર પાસેથી બાઇક હટાવવા મુદે ખેડૂતને બે શ્ખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં ખેડૂતે પોતાના ખેતર પાસે બાઈક ઊભું રાખ્યું હતું જ્યાંથી ટ્રેક્ટર લઈને પસાર થયેલા બે શખ્સોએ તેને બાઈક દૂર કરવા માટે કહ્યું હતું જેથી ખેડૂતે પાંચ મિનિટમાં બાઈક હટાવવાનું કહેતા ઉશ્કેરાયેલા બે શખ્સો દ્વારા તેને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા ખેડૂત દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે લાલસાનગરની અંદર રહેતા રિયાઝુદ્દીનભાઈ રહીમભાઈ ભોરણિયા જાતે મોમીન (૩૦) એ હાલમાં નંદાભાઈ નવઘણભાઈ ભરવાડ અને ભરતભાઈ નવઘણભાઈ રહે. બંને તીથવા ગામ વાળાની સામે તેને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ પોતાના હમીર તરીકે ઓળખાતા ખેતરે પોતાનું બાઇક લઇને ગયા હતા અને ખેતર પાસે તેઓએ પોતાનું મોટરસાયકલ ઊભું રાખ્યું હતું ત્યારે ત્યાંથી નંદાભાઈ અને ભરતભાઈ કડ ભરેલું ટ્રેકટર લઇને પસાર થઇ રહ્યા હતા અને ફરિયાદી યુવાન રિયાઝુદ્દીનભાઈને તેનું મોટરસાયકલ લઈ લેવા માટે કહ્યું હતું જેથી કરીને તેઓએ પાંચ મિનિટમાં બાઇક લઇ લેવા માટે કહ્યું હતું જેથી તે બંને આરોપી ઉશ્કેરાઈ ગયેલા હતા અને નંદાભાઈ અને ભરતભાઈ દ્વારા તેની સાથે માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભરતભાઈએ લાકડાના ધોકા વડે તેને ડાબા પગમાં માર માર્યો હતો અને નંદાભાઈએ મુંઢ માર મારી ઈજા કરી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને ભોગ બનેલા રિયાઝુદ્દીનભાઈએ બંને શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે








Latest News