મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ-કેદારીયા વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર માલગાડી હડફેટે ચડી જતાં બે માસૂમ બાળકના મોત, માતા સારવારમાં


SHARE













હળવદના રણજીતગઢ-કેદારીયા વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર માલગાડી હડફેટે ચડી જતાં બે માસૂમ બાળકના મોત, માતા સારવારમાં

હળવદના તાલુકના રણજીતગઢ-કેદારીયા વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં માતા અને તેના બે બાળકો ટ્રેનની હડફેટે ચડી ગયા હતા જેથી બે બાળકના મોત નિપજ્યાં છે અને માતાને ઇજા થતાં સારવારમાં ખસેડાયેલ છે.

બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણજીતગઢ અને કેદારીયા ગામની વચ્ચેથી સોમવારે બપોરે રેલ્વે ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે બપોરે 12:30 વાગ્યાના અરસામાં મંગુબેન દશરથભાઈ બજાણીયા તેના ત્રણ સંતાનોની સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે માલગાડીની હડફેટે ચાલી જવાથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ગોપીબેન દશરથભાઈ બજાણીય (5) અને નિકુલ દશરથભાઈ બજાણીયા (3) ને ગંભરી ઇજા થવાથી તે બંને બાળકના મોત થયેલ છે અને મંગુબેન દશરથભાઈ બજાણીયાને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર મ્માત્તે  મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવમાં એક દોઢ વર્ષના બાળકનો બચાવ થયેલ છે. આ બનાવની જાણ થાય રેલ્વે અને હળવદ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી. 






Latest News