મોરબી જલારામ મંદિરથી આજે રહતદારે અડદીયા વિતરણ શરૂ
SHARE









મોરબી જલારામ મંદિરથી આજે રહતદારે અડદીયા વિતરણ શરૂ
મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા વિતરણ આજથી શરૂ કરવામાં આવેલ છે
શિયાળાનો પગરવ શરૂ થઈ ગયો છે, ફુલ ગુલાબી ઠંડી નો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુધ્ધ અમૂલ ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા નુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ આજે તા ૧૨-૧૧ થી શરૂ કરવામા આવેલ છે આ અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. અડદીયા વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન કરવામા આવશે.દરરોજ તાજા અડદીયાનુ પ્રતિકીલો રૂપિયા ૩૦૦ ના ભાવે વિતરણ કરવામા આવશે. શુધ્ધ ઘી માંથી બનેલ સુકામેવાથી ભરપુર અડદીયા મેળવવા શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબીનો સંપર્ક કરવો તેમ નિર્મિત કક્કડ (પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ) એ જણાવ્યુ છે.
