મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ટંકારામા ગુજરાત આર્યવીર દળની  શીતકાલિન પ્રશિક્ષણ શિબિર યોજાઇ


SHARE











ટંકારામા ગુજરાત આર્યવીર દળની  શીતકાલિન પ્રશિક્ષણ શિબિર યોજાઇ

મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મ ભુમી  ટંકારા ખાતે ગુજરાત આર્યવીર દળની  શીતકાલિન પ્રશિક્ષણ શિબિર શરૂ થયેલ છે અને આર્યસમાજ ટંકારાના સંયુક્ત નેજા હેઠળ ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિસભા અને સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના તત્વાધાનમા રાજકોટ, અમદાવાદ, આણંદ, જૂનાગઢ, ટંકારા, સુરેન્દ્રનગર વગેરે આર્ય સમાજના ૧૬૦ શિબિરાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ શિબિર આગામી તા ૧૬ સુધી ચાલશે

શાંતાનંદ સરસ્વતીની અધ્યક્ષતામાં અને દેવજીભાઈના સંયોજક હેઠળ અશોક  પરમાર પ્રવીણ ઠાકર વગેરે બૌદ્ધિક શિક્ષકો અને આર્યના પંડિત સુહાસ શાસ્ત્રીજીના સહયોગથી આર્ય સમાજ ટંકારા આર્ય સમાજ ઓઢવના પંડિત ચંદ્ર પ્રસાદજીઅને ધાંગધ્રાના લાલજીભાઈ  ભાવનગરના હિરેનભાઈ વગેરે જેવા વ્યાયામ શિક્ષકોની શારીરિક તાલીમમાં ધ્વજવંદન કરીને શિબિરની શરૂઆત કરવામાં આવી હતી આ તકે દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના ગુરૂકુલ આચાર્ય રામદેવજી, આચાર્ય આર્ય બંધુજી, આચાર્ય કૃષ્ણદેવજી વગેરે જેવા વિદ્વાનોએ પણ પોતાની ભવ્ય ઉપસ્થિતિથી મંચને શણગાર્યો હતો. આ કેમ્પના મુખ્ય દાતા માવજીભાઈ આર્ય વિદ્યાલયમ્ વાળા છે અને સુરેશચંદ્ર આર્ય પ્રધાન સર્વદેશી આર્ય પ્રતિનિધિ સભા દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે અને એક દિવસીય અન્નદાતા તરીકે આર્ય સમાજ આનંદ આર્ય વન વિકાસ ફાર્મ ટ્રસ્ટના વડા મનસુખભાઈ આર્ય શ્રેષ્ઠ  પુરુષોત્તમભાઈ પટેલ ગાંધીધામઆર્ય ફાર્મ શિરવા માંડવી કચ્છના લખમશીભાઈ વાડિયાના સૌજન્યથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્મૃતિ શેષ હસમુખભાઈ પરમારના પુત્રો દ્વારા તમામ શિબિરાર્થીઓને શિબિર ગણવેશ આપવામાં આવ્યો હતો. શિબિરમાં સવારે પાંચ વાગ્યે ઉઠી જાગરણ મંત્રપાઠ, પ્રાત:ક્રિયા અને ઉષાપાન, વ્યાયામ બાદ સ્નાન પછી હવન નાસ્તો ત્યારબાદ સ્વસ્થતા અને તેનુ નિરીક્ષણ પછી સાધન વ્યાયામ આત્મ રક્ષા પ્રવચન બાદ બપોરે ભોજન અને વિરામ બાદ હથિયાર પ્રદર્શન અને તાલિમ સૈનિક શિક્ષા રમત ગમત સંધ્યા પંચસ્થાન રાત્રિ ભોજન ગીત શ્ર્લોક અને મનોરંજન અને રાત્રે ૧૦ વાગ્યે શયન મંત્રપાઠ ની દિનચર્યા હોય છે.






Latest News