મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

જુકેગા નહીં: મોરબીમાં મુકાય સ્ટ્રેટ લાઇટનો પોલ તૂટી પડ્યો તો પણ લાઇટ ચાલુ !


SHARE







જુકેગા નહીં: મોરબીમાં મુકાય સ્ટ્રેટ લાઇટનો પોલ તૂટી પડ્યો તો પણ લાઇટ ચાલુ !

મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તંત્ર દ્વારા ખૂબ જ વિકાસના કામો કરવામાં આવે છે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ જે વિકાસના કામો કર્યા હોય છે ત્યાર પછી તેની કેવી પરિસ્થિતિ છે તે જોવાની તસ્દી ક્યારેય અધિકારીઓ, નેતાઓ કે પદાધિકારીઓ લેતા નથી તે વાસ્તવિકતા છે તાજેતરમાં રિલીઝ થયેલ પુષ્પા-2 નો ડાયલોગ “જુકેગા નહીં” ને સાર્થક કરતી ઘટના મોરબી નજીકના રવાપર ગામ પાસે જોવા મળી રહી છે આ ગામ પાસેથી પસાર થતી મચ્છુની કેનાલની બંને બાજુથી લોકોની અવરજવર થઈ શકે તે પ્રકારની વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે લોકોને રાત્રિના સમયગાળા દરમિયાન રસ્તા ઉપરથી પસાર થવામાં અંધારું ન પડે તે માટે થઈને તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઈટના પોલ ઉભા કરવામાં આવ્યા હતા અને સ્ટ્રીટ લાઇટો તેમાં મૂકવામાં આવી છે પરંતુ આ સ્ટ્રીટ લાઇટો હાલમાં કેવી પરિસ્થિતિમાં છે તે જોવાની કોઈ તસ્દી લેતા નથી તેવા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે જેમાં કેનાલ કાંઠે ઉભો કરવામાં આવેલ એક સ્ટ્રીટ લાઇટનો પોલ તૂટીને કેનાલની અંદર પડી ગયેલ છે તેમ છતાં પણ તેમાં સ્ટ્રીટ લાઈટ ચાલુ છે જો આ વીજ પોલ કેનાલમાં હેતા પાણીમાં પડે અને તેના લીધે ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થાય અને કોઈ જાનહાનિ કે અન્ય કોઈ ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે ત્યારે તંત્ર વાહકો દ્વારા આ કેનાલમાં જુકીને તૂટી પડેલા સ્ટ્રીટ લાઇટના પોલને કોઈ મોટી દુર્ઘટના બને ત્યાં પહેલા હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે






Latest News