મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આંગણવાડી કર્મચારીઓએ પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું


SHARE













વાંકાનેરમાં આંગણવાડી કર્મચારીઓએ પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર તાલુકાના આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પડતર પ્રશ્નો અંગે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા લાંબા સમયથી વિવિધ પ્રશ્નો અંગે માંગ કરવામાં આવી રહી છે છતાં હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા વાંકાનેર તાલુકાના આંગણવાડી સંગઠન દ્વારા વધુ એક આવેદન પત્ર અપાયું હતું, જેમાં કરવામાં આવેલ માંગો મુજબ રાજ્યભરમાં એક લાખ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો લાંબા સમયથી રાજ્ય સરકાર સમક્ષ વિવિધ પ્રશ્ને માંગ કરી રહ્યા છે જેમાં મન કી બાતમાં કોરોના રસીકરણનાં 100 કરોડ ટાર્ગેટ પૂરો થયાની વડાપ્રધાને પ્રશંસા કરી હતી પરંતુ આંગણવાડી બહેનોને કોરોના કામગીરીનું કોઈ જ વળતર ચૂકવવામાં આવ્યું નથી, આ ઉપરાંત નિવૃત્તિ વય મર્યાદા સબબ તથા કોરોના મહામારીમાં અવસાન પામેલ બહેનોને વળતર ચૂકવવા સહિત અનેક મુદ્દે વિવિધ માંગો સાથેનું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.








Latest News