મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી : કામે જવા બાબતે પત્ની સાથે બોલાચાલી બાદ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત


SHARE



























મોરબી : કામે જવા બાબતે પત્ની સાથે બોલાચાલી બાદ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત

વાંકાનેર નજીક આવેલ રાજાવડલા ગામે રહેતા યુવાનને કામે જવા બાબતે પત્ની સાથે બોલાચાલી થઈ હતી.ત્યારબાદ યુવાને ઝેરી દવા પી લેતા યુવાનનુ મોત નીપજ્યું હતું.જે બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે રહેતા દેવજીભાઈ કાળુભાઈ દેત્રોજા (43) નામના યુવાને તેના ઘરે ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા.ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે મૃતક દેવજીભાઈ દેત્રોજા કપાસની ગાડી ભરવાનું મજૂરી કામ કરતા હતા અને વહેલી સવારે કપાસની ગાડી ભરવા માટે જવાનું હતું પરંતુ તે ગયા ન હતા જેથી કરીને કામે જવા બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ લાગી આવતા દેવજીભાઈ દેત્રોજાએ ઝેરી દવા પી લીધી હતી.જેથી તેનું મોત નીપજ્યું છે જે અંગેની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News