ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસે રૂમનો દરવાજો તોડતા અંદરથી સળગેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ


SHARE











મોરબીમાં પોલીસે રૂમનો દરવાજો તોડતા અંદરથી સળગેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ


મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં શાંતિવન સ્કૂલની બાજુમાં રહેતા યુવાનને તેના ભાઈ દ્વારા ફોન કરવામાં આવતો હતો પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો જેથી કરીને યુવાનનો ભાઈ મોરબી આવ્યો હતો અને ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસની હાજરીમાં તે દરવાજો તોડવામાં આવ્યો હતો ત્યારે ઘરની અંદરથી યુવાન સળગેલી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલમાં મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં શાંતિવન સ્કૂલની બાજુમાં ભાડાના મકાનમાં રહેતો બોબી બાલક્રિષ્ણ જાટ (35) નામનો યુવાન તેના રૂમની અંદરથી સળગેલી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ રાજેશકુમાર બાલક્રિષ્ણ જાટ (44) રહે હાલ ભાટિયા સોસાયટી વાંકાનેર મૂળ રહે. ઉત્તરપ્રદેશ વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં મૃતક યુવાનના ભાઈ રાજેશકુમાર જાટ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે તેનો નાનો ભાઈ બોબી મોરબીમાં કટલેરીની લારીનો ધંધો કરતો હતો અને છેલ્લા બે ત્રણ દિવસથી તેને મોબાઈલ ફોન કરતા હતા પરંતુ તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હતો.જેથી કરીને તેઓ વાંકાનેરથી મોરબી આવ્યા હતા અને બોબીનો રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી મકાન માલિકને ત્યાં બોલાવ્યા હતા ત્યારબાદ પોલીસને બોલાવી હતી અને પોલીસે દરવાજો તોડીને રૂમ ખોલતા અંદરથી સળગેલી હાલતમાં તેના ભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવના કારણ અંગે હવે બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News