મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નહેરૂ ગેટ ચોક જીઇબી ઓફીસ પાસેનું પાણીનું પરબ છેલ્લા બે વર્ષથી બંધ હોય ચાલુ કરવા માંગ


SHARE













મોરબી નહેરૂ ગેટ ચોક જીઇબી ઓફીસ પાસેનું પાણીનું પરબ છેલ્લા બે વર્ષથી બંધ હોય ચાલુ કરવા માંગ

મોરબી નહેરૂ ગેટ ચોક જીઇબી ઓફીસ પાસેનું પાણીનું પરબ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં હોય અને હાલ ગરમીનો સમય શરૂ થયેલ હોય લોકોના હિત માટે આ પરબ ચાલુ કરવા માંગ કરવામાં આવેલ છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરશભાઈ કોટેચા, દેવેશભાઈ રાણેવાડીયા સ્થાનિક લોકો અને અહિંના વેપારીઓએ જીલ્લા કલેકટર તેમજ પાલીકાના કમીશ્નરને પત્ર લખી રજૂઆત કરતા જણાવેલ છેકે, મોરબી.શહેરના હાર્દ સમાન નહેરૂ ગેટ પાસે આવેલ શાક માર્કેટ નજીક પીજીવીસીએલ ઓફિસ પાસે વર્ષો પહેલા જાહેર જનતાની સુવિધા માટે પીવાના પાણીનું પરબ બનાવવામાં આવ્યુ હતુ.ત્યારબાદ રીનોવેશન પણ કરવામાં આવ્યું હતું છતાં હાલ ઉનાળાની ઋતુ શરૂ થઇ ગયેલ હોવા છતા આ પાણીનું પરબ બંધ હાલતમાં છે.જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક બાબત છે.

આ વિસ્તાર મોરબી શહેરનો મુખ્ય વ્યાપારી વિસ્તાર છે જયાં મોટી શાક માર્કેટ તેમજ મેઇન બજાર આવેલ હોવાથી દરરોજ મોરબી શહેર તથા બહાર ગામથી હજારો લોકો ખરીદી માટે આવે છે.તેમાં ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોય છે.જેમને ક્યારેક પીવાના પાણી માટે ૧૦-૨૦ રૂપિયા ખર્ચવા પણ મુશ્કેલ પડે છે.આવી સ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ જાહેર પાણીનું પરબ બંધ રહે તે માનવતાની દ્રષ્ટિએ યોગ્ય ગણાય નહીં.જો સામાન્ય અને આવશ્યક સુવિધા જેવી પીવાના પાણી વ્યવસ્થા પણ બંધ હાલતમાં હોય અને તે બાબત મહાનગરપાલિકાના ઘ્યાનમાં ન આવે તો તે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે.ઉપર દર્શાવેલ જગ્યાએ પાણીનું પરબ બંધ હાલતમાં છે તેને તાત્કાલિક અસરથી રીનાવેશન કરીને ફ્રીજ મુકીને ચાલુ કરવામાં આવે તેવી રજૂઆતમાં માંગ કરવામાં આવી છે.






Latest News