મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીની ૭૨૫ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે


SHARE











મોરબીમાં જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીની ૭૨૫ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

 

જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૫ મી જન્મ જયંતીની મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં આરતી, મહાપ્રસાદ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો ઉજવાશે.

 

મોરબી રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૨૧ ના રોજ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૫ મી જન્મ જયંતીની ઉજવણી જ્ઞાતિની વાડી ખાતે ઉજવાશે મોરબીના રામઘાટ પાસે આવેલ શ્રી રામાનંદી સાધુ જ્ઞાતિની વાડી ખાતે સવારે ૭ : ૩૦ કલાકે મંગળા આરતી અને બપોરે મહા આરતી બાદ મહાપ્રસાદ યોજાશે તેમજ સરકારની ગાઈડ લાઈન મુજબ શોભાયાત્રા યોજાશે જેમાં મોરબી અને માળિયા વિસ્તારમાં વસતા રામાનંદી સાધુ સમાજના પરિવારોને પધારવા મંત્રી રામાવત હિતેષ બાબુલાલની યાદીમાં જણાવ્યું છે.






Latest News