મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારા નજીક ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા બે યુવાનોના મોત, એક સારવારમાં


SHARE













ટંકારા નજીક ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા બે યુવાનોના મોત, એક સારવારમાં

ટંકારા મોરબી હાઇવે રોડ ઉપર પેટ્રોલ પંપ સામે ત્રીપલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બાઈક ઉપર જઇ રહેતા ત્રણ પૈકીના બે યુવાનોના મોત નિપજ્યા હતા અને એક યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવારમાં લઇ જવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા મોરબી હાઇવે રોડ ઉપર ટંકારા નજીક આવેલ પેટ્રોલ પંપ પાસેથી બપોરના સમયે ત્રિપલ સવારી બાઈક પસાર થઈ રહ્યુ હતુ ત્યારે તે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા ત્રણ પૈકીના બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને એક યુવાનને ગંભીર ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન ઘટના સ્થળ પર છોડીને નાસી ગયો હોવાનું જાણવા મળે છે.

આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતકમાં શાહમદાર કમાલશા મહમદશા (19) રહે હરબટીયાળી અને શાહમદાર ઈરફાનશા હુશેનશા (24) રહે. ભવાની ચોક મોરબી વાળાનો સમાવેશ થાય છે અને ઈજા પામેલ યુવાન અફઝલ ફિરોજભાઈ સરવદી રહે. લીલાપર મોરબી વાળાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે અને ટંકારા પોલીસે બનાવની નોંધ કરીને ફરીયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે








Latest News