મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીની પાવળીયારી કેનાલ પાસે તલાવડીના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE













મોરબીની પાવળીયારી કેનાલ પાસે તલાવડીના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં પાવળીયારી કેનાલ નજીક આવેલ તલાવડીમાં કોઈપણ કારણોસર ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજને તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતો પંકજભાઈ મનસુખભાઈ પરમાર (24) નામનો યુવાન જસમતગઢ ગામની સીમમાં પાવળીયારી કેનાલ નજીક આવેલ સ્ટેન્જન સીરામીક તથા સાંકેત સીરામીકની પાછળના ભાગમાં પાણી ભરેલ તલાવડીમાં કોઈપણ કારણોસર પડી જતાં તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની ભાવિકભાઈ જેઠાભાઇ પરમાર (29) રહે. જેતપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.પી. જાડેજા દ્વારા કરવામાં આવી હતી








Latest News