મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક ઉપર જઈ રહેલ ચાર પૈકી બાપ-દીકરીનું મોત


SHARE













વાંકાનેર નજીક ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક ઉપર જઈ રહેલ ચાર પૈકી બાપ-દીકરીનું મોત

મોરબી વાંકાનેર ઉપર હસનપર બ્રિજ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં બાઇક ઉપર જઈ રહેલા દંપતી અને તે બે દીકરીને ગંભીર ઇજા થયેલ હતી જે પૈકીની પાંચ વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું છે અને માતા તેમજ એક બાળકી હાલમાં સારવાર હેઠળ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં રતિદેવરી ગામે રહેતા મયુરભાઈ રમેશભાઈ પરબતાણી (24) તેના બાઇક નંબર જીજે 12 બીકે 8195 ઉપર તેના પત્ની ભાવુબેન મયુરભાઈ (23), દીકરી પ્રીતિ પરબતાણી (5) અને હેમાંશી (1) ને બેસાડીને હસનપર બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇક અને ટ્રક નંબર જીજે 36 વી 2233 વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં બાઇક ઉપર જઈ રહેલ દંપતી અને તેની બંને દીકરીઓને ઇજાઓ થયેલ હતી જેમાંથી પ્રીતિ પરબતાણીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, ઇજા પામેલ હાલતમાં મયુરભાઈ અને તેની પત્ની ભાવુબેન તેમજ દીકરી હેમાંશીને સારવાર માટે 108 મારફતે લઈ ગયા હતા અને મયુરભાઈ તેમજ તેના પત્નીને વધુ ગંભીર ઇજા હોવાના કારણે તેઓને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમ્યાન મયુરભાઈનું મોત નીપજયું છે જેની વાંકાનેટ સિટી પોલીસને જાણ કરવામાં આવી છે જેથી પોલીસે બનાવની નોંધ કરીને ભોગ બનેલા પરિવારની ફરિયાદ લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતના આ બનાવમાં એક જ પરિવારના બે સભ્યોના મોત નિપજતા નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.






Latest News