મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માવતરના ઘરે પરિણીતાએ અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE













વાંકાનેરમાં માવતરના ઘરે પરિણીતાએ અંતિમ પગલું ભરી લેતા મોત

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી દિગ્વિજયનગરમાં રહેતા પિતાના ઘરે આવેલ દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટ તાલુકાના માલીયાસણ ગામે રહેતા મમતાબેન પ્રદીપભાઈ વઘેરા (22) નામની પરણીતા વાંકાનેર શહેરમાં પેડ સોસાયટી દિગ્વિજયનગર ખાતે રહેતા તેના પિતા અશોકભાઈ મોહનભાઈ પરમારના ઘરે આવેલ હતી અને ત્યાં કોઈ અગમ્ય કારણોસર તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી પરણીતાનું મોત નીપજયું હતું. અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની તપાસ પીએસઆઇ જે.એલ.ઝાલા ચલાવી રહ્યા છે અને મૃતક પરણીતાનો લગ્ન ગાળો 11 મહિનાનો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.






Latest News