મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​ 
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માવતરના ઘરે પરિણીતાએ અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE











વાંકાનેરમાં માવતરના ઘરે પરિણીતાએ અંતિમ પગલું ભરી લેતા મોત

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી દિગ્વિજયનગરમાં રહેતા પિતાના ઘરે આવેલ દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટ તાલુકાના માલીયાસણ ગામે રહેતા મમતાબેન પ્રદીપભાઈ વઘેરા (22) નામની પરણીતા વાંકાનેર શહેરમાં પેડ સોસાયટી દિગ્વિજયનગર ખાતે રહેતા તેના પિતા અશોકભાઈ મોહનભાઈ પરમારના ઘરે આવેલ હતી અને ત્યાં કોઈ અગમ્ય કારણોસર તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી પરણીતાનું મોત નીપજયું હતું. અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની તપાસ પીએસઆઇ જે.એલ.ઝાલા ચલાવી રહ્યા છે અને મૃતક પરણીતાનો લગ્ન ગાળો 11 મહિનાનો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.






Latest News