મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માવતરના ઘરે પરિણીતાએ અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE













વાંકાનેરમાં માવતરના ઘરે પરિણીતાએ અંતિમ પગલું ભરી લેતા મોત

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી દિગ્વિજયનગરમાં રહેતા પિતાના ઘરે આવેલ દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટ તાલુકાના માલીયાસણ ગામે રહેતા મમતાબેન પ્રદીપભાઈ વઘેરા (22) નામની પરણીતા વાંકાનેર શહેરમાં પેડ સોસાયટી દિગ્વિજયનગર ખાતે રહેતા તેના પિતા અશોકભાઈ મોહનભાઈ પરમારના ઘરે આવેલ હતી અને ત્યાં કોઈ અગમ્ય કારણોસર તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી પરણીતાનું મોત નીપજયું હતું. અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની તપાસ પીએસઆઇ જે.એલ.ઝાલા ચલાવી રહ્યા છે અને મૃતક પરણીતાનો લગ્ન ગાળો 11 મહિનાનો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.




Latest News