મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માવતરના ઘરે પરિણીતાએ અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE













વાંકાનેરમાં માવતરના ઘરે પરિણીતાએ અંતિમ પગલું ભરી લેતા મોત

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી દિગ્વિજયનગરમાં રહેતા પિતાના ઘરે આવેલ દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટ તાલુકાના માલીયાસણ ગામે રહેતા મમતાબેન પ્રદીપભાઈ વઘેરા (22) નામની પરણીતા વાંકાનેર શહેરમાં પેડ સોસાયટી દિગ્વિજયનગર ખાતે રહેતા તેના પિતા અશોકભાઈ મોહનભાઈ પરમારના ઘરે આવેલ હતી અને ત્યાં કોઈ અગમ્ય કારણોસર તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી પરણીતાનું મોત નીપજયું હતું. અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની તપાસ પીએસઆઇ જે.એલ.ઝાલા ચલાવી રહ્યા છે અને મૃતક પરણીતાનો લગ્ન ગાળો 11 મહિનાનો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.








Latest News