વાંકાનેરમાં યુવાને કરેલ આપઘાતના બનાવમાં ચાર શખ્સો સામે નોંધાયો ગુનો
SHARE
વાંકાનેરમાં યુવાને કરેલ આપઘાતના બનાવમાં ચાર શખ્સો સામે નોંધાયો ગુનો
વાંકાનેરના મિલ પ્લોટમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને થોડા દિવસો પહેલા આપઘાત કર્યો હતો જે યુવાને મોબાઈલ ફોન લઈ લીધેલ છે તેવું કહીને તેને માર માર્યો હતો અને તેની પાસેથી મોબાઈલ લેવા માટે તેને દુખ ત્રાસ આપતા હતા જેથી તે યુવાને આપઘાત કર્યો હટો માટે મૃતક યુવાનના ભાઈએ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મિલ પ્લોટ અમરસિંહજી મીલ સામે હાઉસિંગમાં રહેતા કિરીટભાઈ રમેશભાઈ દલસાણીયા (37)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે નરેશભાઈ ડાયાભાઈ ચાવડા, અભિભાઈ નરેશભાઈ ચાવડા, નરેશભાઈનો બીજો દીકરો તેમજ નરેશભાઈના બનેવીનો દીકરો આમ કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેના ભાઈ ભાવેશભાઈએ આરોપીઓનો મોબાઇલ લઇ લીધેલ છે તેવું કહીને આરોપીઓએ ફરિયાદીના ભાઈને ગાળો આપી હતી અને ઢીકા પાટુનો માર માર્યો હતો તેમજ મોબાઈલ પાછો આપી દેવા દુઃખ ત્રાસ આપતા હતા જેથી ફરિયાદીના ભાઈને લાગી આવતા ભાવેશભાઈએ પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આમ યુવાનને મરવા માટે મજબૂર કર્યો હોવાની મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.