મોરબીમાં ૧૦૧ નાળિયેરમાં કીડિયારૂ ભરીને ૨૦૦૧ ના ભૂકંપના દિવંગતત્વોની આત્મશાંતિ અર્થે કરાઇ પ્રાર્થના
SHARE
મોરબીમાં ૧૦૧ નાળિયેરમાં કીડિયારૂ ભરીને ૨૦૦૧ ના ભૂકંપના દિવંગતત્વોની આત્મશાંતિ અર્થે કરાઇ પ્રાર્થના
ગુજરાતમાં આવેલ ભુકંપ દીવગંતોની આત્માને શાંતી માટે કીડીયારૂં પુરી ભંડારો અને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મોરબીના કડીવાર વિપુલ, કડીવાર સાગર, ઉધરેજા અલ્પેશ અને ભોજાણી શૈલેષભાઈ દ્વારા કિડીયારૂ પુરીને ભુકંપના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.અબોલ જીવોના માટે ભંડારો યોજવામાં આવ્યો હતો.
ગુજરાતમાં ૨૬-૧-૨૦૦૧ માં આવેલ ભુકંપના દિવંગતોની આત્મશાંતી માટે શ્રદ્ધાંજલિ રૂપે ભારતના નકશાની રંગોળી બનાવીને કીડીયારું પુરવામાં આવ્યુ હતુ.જેમાં ૧૦૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને અલગ અલગ ૧૦૧ જગ્યાઓએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટીને બાવળ અને બોરડી મુકવામાં આવ્યા હતા.જેથી લાખો નાના જીવોને ખોરાક મળતો રહે.









