ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૦૧ નાળિયેરમાં કીડિયારૂ ભરીને ૨૦૦૧ ના ભૂકંપના દિવંગતત્વોની આત્મશાંતિ અર્થે કરાઇ પ્રાર્થના


SHARE













મોરબીમાં ૧૦૧ નાળિયેરમાં કીડિયારૂ ભરીને ૨૦૦૧ ના ભૂકંપના દિવંગતત્વોની આત્મશાંતિ અર્થે કરાઇ પ્રાર્થના

ગુજરાતમાં આવેલ ભુકંપ દીવગંતોની આત્માને શાંતી માટે કીડીયારૂં પુરી ભંડારો અને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

મોરબીના કડીવાર વિપુલ, કડીવાર સાગર, ઉધરેજા અલ્પેશ અને ભોજાણી શૈલેષભાઈ દ્વારા કિડીયારૂ પુરીને ભુકંપના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.અબોલ જીવોના માટે ભંડારો યોજવામાં આવ્યો હતો.

ગુજરાતમાં ૨૬-૧-૨૦૦૧ માં આવેલ ભુકંપના દિવંગતોની આત્મશાંતી માટે શ્રદ્ધાંજલિ રૂપે ભારતના નકશાની રંગોળી બનાવીને કીડીયારું પુરવામાં આવ્યુ હતુ.જેમાં ૧૦૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને અલગ અલગ ૧૦૧ જગ્યાઓએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટીને બાવળ અને બોરડી મુકવામાં આવ્યા હતા.જેથી લાખો નાના જીવોને ખોરાક મળતો રહે.






Latest News