મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો


SHARE







મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો

મોરબીમાં આવેલ ભારતી વિધાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી જેમાં કેજીથી લઈને ધો, 12 સુધીના વિધાર્થીઓ, શિક્ષકો સહિતના લોકો જોડાયા હતા અને યોગના જુદાજુદા આસનો કરીને યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમ વિદ્યાર્થીઓને યોગનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. આટલું જ નહીં ધો. 5 થી 12 ના વિધાર્થીઓ માટે યોગ વિષય આધારિત MCQ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું  અને તેમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ભગવાનજીભાઈએ કર્યું હતું અને યોગની માહિતી ઉર્વશીબેન અને ખુશીબેન દ્વારા આપવામાં આવી હતી. ત્યાર બાદ શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાએ વિધાર્થીઓને જણાવ્યુ હતું કે, અભ્યાસમાં યાદ શક્તિ વધારવા માટે પણ યોગ જરૂરી છે અને શાળા પ્રમુખ હિતેશભાઇ મહેતાએ શાળામાં યોગ દિવસની ઉજવણીને સફળ બનાવવા બદલ દરેક વિધાર્થી અને શિક્ષકોને અભિનંદન આપ્યા હતા.






Latest News