માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ, બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા ભારત માતા પુજન-આરતીનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં વિહિપ, બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા ભારત માતા પુજન-આરતીનો કાર્યક્રમ યોજાયો

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિની મોરબી જિલ્લા, મોરબી પ્રખંડ તથા હળવદ પ્રખંડ દ્વારા ૨૬ જાન્યુઆરીના દિવસે ભારત માતા પુજન અને આરતી તેમજ સંવિધાન પૂજનના ચાર અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં વિહીપ બજરંગદળ મોરબી જિલ્લા દ્વારા સરદાર પટેલની નવા બસ સ્ટેન્ડ સામે આવેલ પ્રતિમા પાસે, મોરબી પ્રખંડ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજજીની પ્રતિમા પાસે, મોરબી જિલ્લા દુર્ગાવાહીનીની દિકરીઓ દ્વારા ચાલતા શકિત સાધના કેન્દ્ર ઉમા ટાઉનશીપમાં દીકરીઓને સંવિધાન વિશે સમજૂતી આપવામાં આવી હતી અને દેશ ભક્તિ ગીત કરાવામાં  આવ્યા હતા. તે ઉપરાંત હળવદ પ્રખંડમા સરા ચોકડી ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વ.જયંતિભાઈ મનજીભાઈ ધરોડિયા પુત્ર જીતુભાઈ ધરોડીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ તકે ગાયત્રી શક્તિપીઠના અશ્વિનભાઈ રાવલ, પ્રગનેશભાઈ પટેલ, ભાર્ગવભાઈ ધરોડિયા, મુનાભાઈ હેરમા, સવાલાલ, ભરતસિંહ, સુરૂભા, સમીરભાઈ દેવમુરારી, હડિયલભાઇ, રાહુલ જોબનપુત્રા અને સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થી મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.






Latest News