મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ, બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા ભારત માતા પુજન-આરતીનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં વિહિપ, બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા ભારત માતા પુજન-આરતીનો કાર્યક્રમ યોજાયો

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિની મોરબી જિલ્લા, મોરબી પ્રખંડ તથા હળવદ પ્રખંડ દ્વારા ૨૬ જાન્યુઆરીના દિવસે ભારત માતા પુજન અને આરતી તેમજ સંવિધાન પૂજનના ચાર અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં વિહીપ બજરંગદળ મોરબી જિલ્લા દ્વારા સરદાર પટેલની નવા બસ સ્ટેન્ડ સામે આવેલ પ્રતિમા પાસે, મોરબી પ્રખંડ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજજીની પ્રતિમા પાસે, મોરબી જિલ્લા દુર્ગાવાહીનીની દિકરીઓ દ્વારા ચાલતા શકિત સાધના કેન્દ્ર ઉમા ટાઉનશીપમાં દીકરીઓને સંવિધાન વિશે સમજૂતી આપવામાં આવી હતી અને દેશ ભક્તિ ગીત કરાવામાં  આવ્યા હતા. તે ઉપરાંત હળવદ પ્રખંડમા સરા ચોકડી ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વ.જયંતિભાઈ મનજીભાઈ ધરોડિયા પુત્ર જીતુભાઈ ધરોડીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ તકે ગાયત્રી શક્તિપીઠના અશ્વિનભાઈ રાવલ, પ્રગનેશભાઈ પટેલ, ભાર્ગવભાઈ ધરોડિયા, મુનાભાઈ હેરમા, સવાલાલ, ભરતસિંહ, સુરૂભા, સમીરભાઈ દેવમુરારી, હડિયલભાઇ, રાહુલ જોબનપુત્રા અને સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થી મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.






Latest News