મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સરકારી આરામગૃહો, ડાકબંગલા, વિશ્રામગૃહોના ઉપયોગ પર પ્રતિબંધ


SHARE













મોરબી જિલ્લામાં સરકારી આરામગૃહો, ડાકબંગલા, વિશ્રામગૃહોના ઉપયોગ પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની વિવિધ ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકારી, અર્ધસરકારી આરામગૃહ, ડાક બંગલા, વિશ્રામગૃહ, સરકારી રહેણાંક મકાન, તેની સાથે જોડાયેલ આંગણ, કમ્પાઉન્ડ સહિત તમામ સ્થળો પર કોઈપણ રાજકીય પક્ષના હોદેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટોને રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર-પ્રસારના હેતુસર ઉપયોગ કરવા પર નિયંત્રણ મુકતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અને કલેકટરશ્રી કે.બી.ઝવેરી, મોરબી દ્વારા બહાર પડાયું છે.  

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાં વિશ્રામગૃહ, અતિથિગૃહ, ડાક બંગલાના સ્થળો પર રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગ યોજવા ૫૨, આવા આવાસના કમ્પાઉન્ડમાં રાજકીય ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાના વાહનોના પાર્કિંગ કરવા પર, ચૂંટણી પ્રચાર હેતુ માટે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ, અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. જે રાજકીય પદાધિકારીશ્રીઓને ઝેડ કક્ષાની કે રાજયના કાયદાની જોગવાઈ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલ હોય તો તેમને વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે, સિવાય કે આવો રૂમ ચૂંટણી ફરજ પર નિમાયેલ અધિકારીશ્રી/ નિરિક્ષકશ્રીને અગાઉથી ફાળવવામાં આવેલ ન હોય. પરંતુ આવી ઝેડ સ્કેલની સીકયુરીટી ધરાવતા વિશ્રામગૃહ/ અતિથિગૃહમાં તેઓ રહે તે સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ હાથ ધરી શકશે નહીં. આ જાહેરનામું મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં આગામી તા. ૧૮ સુધી અમલમાં રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર બનશે.








Latest News