મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળવામાં આવશે


SHARE

















મોરબી જિલ્લામાં શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળવામાં આવશે

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જે વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા મહાન શહીદ વીરોની સ્મૃતિમાં આગામી તારીખ ૩૦ મી જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ સહિત મોરબી જિલ્લામાં સવારના ૧૧:૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવામાં આવશે અને સ્વદેશ માટે પોતાના અમૂલ્ય પ્રાણની આહુતિ આપનારા નામી અનામી અનેક શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવશે.

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં સ્થિત સરકારી કચેરીઓ, શૈક્ષણિક, વાણિજ્ય, બોર્ડ, કોર્પોરેશન સહિતની સંસ્થાઓ અને વિવિધ જાહેર સ્થળોએ બે મિનિટ મૌન પાળવામાં આવશે. આ માટે કામકાજની અને વાહન વ્યવહારની ગતિ એટલો સમય બંધ રાખવામાં આવશે. ત્યારબાદ રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવાનું રહેશે. આ ઉપરાંત જે સ્થળોએ સાયરનની વ્યવસ્થા હશે ત્યાં મૌન પાળવા માટે સાયરનથી કે તોપ ફોડીને જાહેર જનતાને સૂચિત કરવામાં આવશે. જો આવી કોઈ વ્યવસ્થા ના હોય તો અન્ય રીતે નાગરિકોને જાણકારી આપવાની રહેશે. તેમ નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News