હળવદના જુના દેવળીયા ગામે કેશવેશ્વર મહાદેવ મંદિરના ઝીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયુ
SHARE
હળવદના જુના દેવળીયા ગામે કેશવેશ્વર મહાદેવ મંદિરના ઝીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયુ
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તળાવની પાળ પર આવેલ પૌરાણિક ગૌરવપૂર્ણ આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રી કેશવેશ્વર મહાદેવ મંદિરનો ઝીર્ણોદ્ધાર કરી ભવ્યાતિ ભવ્ય નૂતન મંદિર બનાવવાનું આયોજન કરેલ છે. આ નૂતન મંદિર નિર્માણનું શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત ગામમાં શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને ભૌતિક વિકાસમાં હંમેશા આર્થિક સહયોગના ભામાશા સ્વ. મોહનભાઇ દેવશીભાઇ અઘારા (સરકાર) પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને જુના દેવળીયા ગામના બહારગામ વસતા અને ગામના લોકોએ બહોળી સંખ્યામાં હાજર આપી હતી.