હળવદના જુના દેવળીયા ગામે કેશવેશ્વર મહાદેવ મંદિરના ઝીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયુ
વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત માટે સીટી ડેન્ટલ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો
SHARE
વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત માટે સીટી ડેન્ટલ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો
હાલ ગુજરાતમાં કુલ વસ્તીના 41% લોકોને તમાકુ વ્યસનની આદત છે તેમાં પણ એક ટકાને કેન્સરના લક્ષણો જોવા મળતા હોય છે ત્યારે એસટી નિગમમાં પણ કર્મચારીઓને વ્યસનની આદત હોય છે જેથી આવી બદી દૂર કરવાના હેતુસર વાંકાનેર ડેપો ખાતે સીટી ડેન્ટલ હોસ્પિટલ રાજકોટના સહયોગથી નિગમના કર્મચારીઓને વ્યસનની આદત હોય તે દૂર કરવા માટે કેમ્પનું ઇન્ચાર્જ ડેપો મેનેજર જયુભા ડી. જાડેજા ની આગેવાની હેઠળ આયોજન કરવામાં આવેલ હતું જેમા વાંકાનેર ડેપો ના એ.ટી.આઇ. રહીમભાઈ પરમાર તથા હકુવિરસિંહ પરમાર, જે.જે. જાડેજા, મહંમદભાઇ સમા, જયદેવસિંહ ઝાલા, અનિલભાઈ પટેલ, જયેશભાઈ પંડિયા, હમિદભાઈ કાદરી અને મિકેનિક સ્ટાફ કર્મચારી તથા ડેપોના હાજર રહેલ તમામ ડ્રાઈવર કંડકટર ભાઈઓ તથા બહેનોએ કેમ્પનો લાભ લીધો હતો