મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી વધુ 300 થેલી સિમેન્ટ પથ્થર હાલતમાં મળી !


SHARE













મોરબીમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી વધુ 300 થેલી સિમેન્ટ પથ્થર હાલતમાં મળી !

મોરબી પાલિકાના અધિકારીઓની બેદરકારી કે પછી અન્ય કોઈ કારણોસર સિમેન્ટની થેલીઓનો ઉપયોગ કરવામાં આવેલ ન હોવાથી તે સિમેન્ટ પથ્થર બની ગયેલ હોય તેવી અગાઉ 400 થેલી મળી આવી હતી તેવામાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા ગઇકાલે મોરબીના લીલપર રોડે આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના ખાતે પહોચ્યા હતા અને ત્યા એક દુકાન કે જેનું શટર તૂટેલ હાલતમાં જોવા મળી રહ્યું છે તેમાંથી સિમેન્ટની એક કે બે નહીં પરંતુ વધુ 300 જેટલી થેલીઓ મળી આવેલ છે જેથી કરીને આ સિમેન્ટની થેલિનો વાપરસ કરવાના બદલે તે પથ્થર બની ગયેલ છે તેના માટે જે કોઈ પણ જવાબદાર હોય તેની સામે આકાર પગલાં લેવામાં આવે તેવી માંગ તેઓએ કરેલ છે. અને આટલું જ નહીં જવાબદાર વ્યક્તિની સામે ફોજદારી ફરિયાદ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ બાબતે કમિશનર સ્વપ્નિલ ખરે સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, અગાઉ જે સિમેન્ટની થેલીઓ મળી આવી હતી અને હાલમાં જે સિમેન્ટની વણ વપરાયેલ જે થેલીઓ મળી આવલે છે તે બંને માટેની તપાસ કરવામાં આવી રહી છે અને તે તપાસનો રિપોર્ટ આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.






Latest News