મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારા નજીક કારખાનામાં રહેતા યુવાને જાતે ગળા ઉપર તીક્ષ્ણ હથિયારથી ઇજા કરીને ત્રીજા માળેથી પડતું મુક્તા મોત


SHARE













ટંકારા નજીક કારખાનામાં રહેતા યુવાને જાતે ગળા ઉપર તીક્ષ્ણ હથિયારથી ઇજા કરીને ત્રીજા માળેથી પડતું મુક્તા મોત

ટંકારા મોરબી હાઇવે રોડ ઉપર આવેલ સિદ્ધિ વિનાયક પેટ્રોલપંપ ની પાછળના ભાગમાં આવેલ દયાનંદ એફઆઈબીસી કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને પહેલા તીક્ષ્ણ હથિયાર વડે પોતાના ગળાના ભાગે ઇજા કરી હતી અને ત્યાર બાદ ત્રીજા માળ ઉપરથી નીચે પડતું મુકયુ હતું જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા નજીક આવેલ લગધીરગઢ ગામની સીમમાં દયાનંદ એફઆઈબીસી કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અનુજ જયમલ કુશવાહ (25) નામના યુવાને ગઈકાલે કોઈ કારણોસર પોતે પોતાની જાતે તીક્ષણ હથિયાર વડે પોતાના ગળાના ભાગે ઇજા પહોંચાડી હતી અને ત્યારબાદ ત્રીજા માળે ઊંચાઈ ઉપરથી નીચે પડતું મૂક્યું હતું જેથી તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે લઈને આવ્યા હતા અને ફોરેન્સિક પીએમ માટે યુવાનના મૃતદેહને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો અને તેમાં યુવાનને માથાના ભાગે હેમરેજ અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઇજા કરેલ હોવાના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવી છે જેથી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








Latest News