મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ચૂલાની અગ્નિથી આખા શરીરે દાઝી ગયેલ મહિલાનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત


SHARE







મોરબીના જેતપર ગામે ચૂલાની અગ્નિથી આખા શરીરે દાઝી ગયેલ મહિલાનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત

મોરબી તાલુકાના જેતપર ગામે વણકરવાસમાં રહેતી મહિલાપોતે પોતાના ઘરે પાણી ગરમ કરવા માટે ચૂલામાં આગ પ્રગટાવી હતી અને આગ તેની સાડીમાં અડી જતા મહિલા શરીરે દાઝી ગઈ હતી જેથી તેના પ્રથમ સારવાર માટે જેતપર સીએચસી અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા જોકે મહિલા ગંભીર રીતે દાઝી ગયેલ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવની મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ વણકરવાસમાં રહેતા ગીતાબેન પ્રવીણભાઈ પરમાર (36) નામના મહિલાગઈકાલે બપોરના બે વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતે પોતાના ઘરે રહેણાક મકાનમાં ફળિયામાં પાણી ગરમ કરવા માટે ચૂલામાં આગ પ્રગટાવી હતી અને આગ તેઓની સાડીના છેડે અડી જતા કપડાં બાદ તેઓ શરીરે ગંભીર રીતે દાજી ગયા હતા જેથી મહિલાને પ્રથમ સારવાર માટે જેતપર ગામે આવેલ સીએચસી ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે મહિલા આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયેલ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત થયું હતું અને ત્યારબાદ આ બનાવની મૃતક મહિલાના પતિ પ્રવીણભાઈ ભલાભાઇ પરમાર (37) રહે. જેતપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News