મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાનો એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા 14 આસામીઓની મિલકત સીલ


SHARE







મોરબી મહાપાલિકાનો એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા 14 આસામીઓની મિલકત સીલ

મોરબી મહાપાલિકા દ્વારા એક લાખથી વધુની વેરાની રકમ બાકી હોય તેવા 257 મિલકત ધારકોને વોરંટની બજવણી કરવામાં આવી હતી જેમાંથી 63 મિલકતધારકોસંપૂર્ણ ટેક્સ ભરી દીધેલ છે જો કે, વેરો ન ભરનારા આસામીઓ સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે ટેક્ષ શાખા દ્વારા બે જગ્યાએ પાણીના કનેક્શન કાપવામાં આવેલ છે અને 14 આસામીઓની મિલકતોને સીલ કરવામાં આવી છે

મોરબી મહાપાલિકાની ટેક્ષ શાખા દ્વારા વેરો નહીં ભરનારા આસામીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના ભાગ રૂપે એક લાખથી વધુનો વેરો બાકી હોય તેવામાં આસામીઓમાંથી 14 આસામીઓની મિલકતોને સીલ કરવામાં આવી છે તે ઉપરાંત 75 હજારથી એક લાખ સુધીનો વેરો બાકી હોય તેવા 114 આસામીઓને બાકીનો વેરો ભરવા માટે વોરંટની બજવણી કરવામાં આવી છે જેમાંથી 51 આસામીઓ તેનો વેરો ભરી ગયેલ છે જો કે, હવે ટેક્ષ શાખા દ્વારા 50 થી 75 હજાર સુધીનો વેરો બાકી હોય તેવા 66 વોરંટની બજવણી કરી છે જેમાંથી 9 આસામીઓએ ટેક્ષ ભર્યો છે જો કે, જે આસામીઓનો નાણાકીય વર્ષનો વેરો બાકી હોય તેની પાસેથી વેરો વસૂલવા માટેની કડક કાર્યવાહી હવે બાકીદારો સામે કરવામાં આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. 






Latest News