મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા માલધારી સમાજના પ્રશ્નોની મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે સમય માંગવામાં આવ્યો: રમેશભાઈ રબારી


SHARE













મોરબી જિલ્લા માલધારી સમાજના પ્રશ્નોની મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે સમય માંગવામાં આવ્યો: રમેશભાઈ રબારી

મોરબીમાં રાજ્યના મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા માલધારી સમાજના જુદાજુદા પ્રશ્નોને લઈને માલધારી સમાજના લોકો મુખ્યમંત્રીને રજૂઆત કરવા માંગે છે જેથી કરીને માલધારી સમાજના આગેવાને કલેક્ટરને રજૂઆત કરીને મુખ્યમંત્રીનો તેઓને સમય આપવામાં આવે તેવી માંગ કરેલ છે.

મોરબીના નવડેલા રોડે આવેલ તુલશી શોપીંગ સેન્ટરમાં ઓફિસ ધારવતા રમેશ બી. રબારીએ હાલમાં મોરબીના કલેક્ટરને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા માલધારી સમાજના પ્રશ્ને મુખ્યમંત્રીને આવેદન આપીને રજુઆત કરવી છે જેથી કરીને તેઓને સમય આપવામાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, જે પ્રશ્નોની રજૂઆત કરવી છે તેમાં જીલ્લાનાં અનેક ગામ સરકારી ખરાબા, ગૌચરની જીમનમાં મોટા પાયે દબાણ થયેલ છે, જીલ્લામાં સરકારી ખરાબામાં ગૌચરમાં થતી ખનીજ ચોરી રોકવી, જીલ્લામાં જેટલા ફોરેસ્ટર હસ્તક જંગલ ઘણા વર્ષો થયા છુટી નથી થયા તે ખુલ્લા કરવા, શહેરની આજુબાજુ માલધારી વસાહત બનાવવી, ગ્રામ્ય વિસ્તારમાં વસતા માલધારીના વર્ષોથી કબજો ભોગવટા વાળા ગામતળ અને સીમતળની પંચાયત રજીસ્ટર નોંધવામાં આવે, જીલ્લાના દરેક ગામમાં પશુધન માટે પાણી પીવા માટે અગાઉ જે રીતે પાણી આવેળા હતા તે ફરી વખત બનાવવામાં આવે, જીલ્લામાં થતી પશુ ચોરી રોકવી, વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામે સરકારી જમીન ઉપર મોટા પ્રમાણમા દબાણ કરવામાં આવેલ છે, માલધારીના પશુધન, ચરીયાણ માટે ગૌચરની જમીન માટે યોગ્ય કાર્યવાહી કરવી, કુદરતી આફત કે એકસીડન્ટમાં મોટા કે નાના પશુઓના મોત થાય તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવી, સમગ્ર ગુજરાતમાં રબારી સમાજને ટારગેટ કરી જે રીતે ઓઢવ વસાવત તેમજ અન્ય જગ્યાએ રબારી સમાજ સામે ષડયંત્ર રચી રબારી સમાજના ઘરને ડીમોલીશન કરવામાં આવે તેને રોકવામાં આવે, સુરેન્દ્રનગર જીલ્લાનું નામ બદલી વડવાળા નગર જીલ્લો નામ આપવામાં આવે અને માલધારી સમાજની વસતી ગણતરી અને તેના પશુઓની વસતી ગણતરી કરવામાં આવે તેવી રજૂઆત કરવાની છે.








Latest News