રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

વિદ્યા દાન: મોરબીમાં જૂના પુસ્તકો એકત્રિત કરીને રામાનંદી સાધુ સેવા સમિતિ સમાજના જરૂરિયાતમંદ પરિવારનો પહોચડશે


SHARE







વિદ્યા દાન: મોરબીમાં જૂના પુસ્તકો એકત્રિત કરીને રામાનંદી સાધુ સેવા સમિતિ સમાજના જરૂરિયાતમંદ પરિવારનો પહોચડશે

મોરબી રામાનંદી સાધુ સેવા સમિતિની પ્રેરણાદાયી પહેલ કરવામાં આવેલ છે અને પાઠ્યપુસ્તકો પસ્તી બને એ પહેલા જ જરૂરીયાત મંદ બાળકોને ઉપયોગી બને તેવુ ઉમદા હેતુથી સેવા યજ્ઞ શરૂ કરવામાં આવેલ છે અને તાજેતરમાં જ SSC HSC બોર્ડની પરીક્ષાઓ પુરી થયેલી છે અને આગામી દિવસોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમા પરિક્ષાઓ લેવામાં આવશે ત્યાર બાદ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે ત્યારે જૂના પુસ્તકોને પસ્તીમાં આપવાને બદલે શ્રી રામાનંદી સાધુ સેવા સમિતિ મોરબી જિલ્લાની ટીમને આપવામાં આવશે તો તેને જરૂરિયાતમંદ બાળક સુધી પહોચડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે.

આ સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ છેકે, પાઠ્યપુસ્તકો પસ્તીમાં કિલોના ભાવે વેંચાઈ તેના બદલે જો કોઈ બાળકને ઉપયોગી બને તો વધુ સારું પરિણામ મળશે જેથી સમાજના બાળકોને નવા સત્રમાં પુસ્તકો ખરીદવા માટે મોટી કિંમતો આપવી ન પડે અને તેમના ઘરના બજેટ ખોરવાય નહીં તે માટે સંસ્થાને સહકાર આપવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવેલ છે. અને કોઈપણ વાલી વિદ્યાદાન માટે પુસ્તકો આપવાના હોય તેની માહિતી આપવામાં આવશે તો તેઓની પાસેથી પુસ્તક લેવા માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અને જે પરિવારનો પુસ્તક લેવા ઇચ્છતા હોય તેમણે પણ સંસ્થાના જવાબદાર આગેવાનોનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે. અને જે ધોરણોના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ હશે તે આપવામાં આવશે તેવું આગેવાનોએ જણાવ્યુ છે અને અંગે વધુ માહિતી માટે મનિષભાઈ દેવમુરારી (9778615594), ભક્તિરામભાઈ નિમાવત (9979999098), ભરતભાઈ કુબાવત (9265202959), મુકેશભાઈ (બાબાભાઈ)નિમાવત (8780635339), દિપકભાઈ કુબાવત (9427236797), ચંદ્રકાંત રામાનુજ (7016097002) અને ભરતભાઈ નિમાવત  (9913944683) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News