મોરબીમાં સબર સુકુન અને અમન ચેન સાથે ઈદ ઉલ ફીત્રની ઉજવણી કરતા મુસ્લિમ બિરાદરો
SHARE









મોરબીમાં સબર સુકુન અને અમન ચેન સાથે ઈદ ઉલ ફીત્રની ઉજવણી કરતા મુસ્લિમ બિરાદરો
હર સાલ મુજબ આ સાલ પણ મુસ્લિમ બિરાદરો એ ઈદ ઉલ અદાહાની બહુજ શાનો શોકતથી ઉજવણી કરી હતી.આ બાબતે વાત કરીએ તો તા.૩૧-૩ ને સોમવારના રોજ ઈદ ઉલ ફીત્ર નિમિત્તે મોરબીની બારે બાર મસ્જિદોમાં તમામ મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી અને તમામ મસ્જિદોમાં નમાઝ પઢવા માટે અલગ અલગ ટાઈમ રાખ્યા હતા
જેમાં જે ભાઈઓઓને ટાઈમ મળ્યો તે મુજબ પોતપોતાના લતાઓની મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી અલ્લાહ તાઆલની બારગાહે મુકદસમાં પોતાના ઈમાનનું સબૂત પેસ કર્યું હતું સાથે સાથે મોરબીની જુમ્મા મસ્જિદેથી મોરબી સુન્ની મુસ્લિમ સમાજના શહેર ખતિબ રસીદમીયા બાપુની સર પરસ્તીમાં શાનદાર ઝુલાસ શહેરના મુખ્ય માર્ગ ગ્રીનચોક, નેહેરૂ ગેઇટ, સરદાર રોડ થઈ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ઇદગાહે પહોંચ્યું હતું.જેમાં શહેર ખતિબ રસીદમીંયા બાપુએ ઈદ ઉલ ફીત્રની નમાઝ અદા કરાવી હતી.જેમાં મોરબી શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી હજારો મુસ્લિમ બિરાદારોએ ઈદગાહે નમાજ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી.તેમજ શહેર ખતિબ રસીદમીયા બાપુએ ઇદના મુબારક મોકા ઉપર દેશમાં અમન ચેન અને ભાઈચારો કાયમ જળવાઈ રહે તે માટે અલ્લાહ પાકની બહારગામાં ખાસ દુઆએ ખેર કરી તમામને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ત્યારબાદ ઈદગાહેથી જુલાસ ખાટકીવાસ પાસે આવેલ હૈદરી મસ્જીદે સંપ્પન થયું હતું.આ જુલસમાં પણ હજારોની મેદની ઉમટી પડી હતી. જુલસ દરમ્યાન કોઈ પણ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી જિલ્લા પોલીસે સુંદર બંદોબસ્ત ગોઠવી આ તહેવારને કામયાબ બનાવ્યો હતો.
