મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરની લક્ષ્મીપરા સોસાયટીમાં બેંકના લોન રિકવરી અધિકારી સહિત ત્રણ કર્મચારી ઉપર બે મહિલા સહિત 10 શખ્સોનો હુમલો


SHARE













વાંકાનેરની લક્ષ્મીપરા સોસાયટીમાં બેંકના લોન રિકવરી અધિકારી સહિત ત્રણ કર્મચારી ઉપર બે મહિલા સહિત 10 શખ્સોનો હુમલો

વાંકાનેરના લક્ષ્મીપરા સોસાયટી વિસ્તારમાં મામલતદાર સ્થળ ઉપર ફેન્સીંગ દૂર કરાવતા હતા. ત્યારે બેંકના લોન રિકવરી અધિકારી સહિતના કર્મચારીઓ ત્યાં ગયા હતા ત્યારે સામે વાળા ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડી અને કાતર વગેરે જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો. અને લોનના રિકવરી અધિકારી તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને ગળાના ભાગે ઇજા કરી હતી અને શર્ટ ફાડી નાખ્યો હતો તથા સાહેનો મોબાઇલ જુટવી લીધો હતો જેથી આ બનાવ સંદર્ભે બેંકના લોન રિકવરી અધિકારી દ્વારા બે મહિલા સહિત 10 શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના દિવાનપરા અમીના 6/4 ખાતે રહેતા આબિદભાઈ નૂદ્દીનભાઈ ભારમલ (68)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હુસેનભાઇ અલીભાઈ અમરેલીયા, તૌફીક ઇસુબભાઇ અમરેલીયા, ફૈજાન હનીફભાઇ અમરેલીયા, વસીમભાઇ અબાભાઇ અમરેલીયા, તૌસીફ હુશેન અમરેલીયા, તનવીર બાબાભાઇ અમરેલીયા, મસીરાબેન તૈસીફભાઇ અમરેલીયા, જમીલાબેન હુશેનભાઇ અમરેલીયા, અયાન વસીમભાઇ અમરેલીયા રહે. બધા લક્ષ્મીપરા વાંકાનેર અને રહીમભાઇ મુલ્તાની રહે.ચંદ્રપુર વાળાની સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી પોતે રાજકોટ જીવન કોમર્શિયલ બેંકના લોન રિકવરી અધિકારી તરીકે નોકરી કરતા હોય અને વાંકાનેર લક્ષ્મીપરામાં અમીભાઈ અલાઉદ્દીનભાઈ ખોરજીયાની મિલકતમાં કોર્ટના હુકમથી ફેન્સીંગ કરેલ હતી જે ફેન્સીંગ મામલતદાર વાંકાનેર દ્વારા દૂર કરાવવામા આવતી હોય ત્યારે ફરિયાદ અને તેના સાથી કર્મચારી ત્યાં પહોચ્યા હતા ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ઉશ્કેરાઈ ગયા હતા અને તેણે ફરિયાદી તથા સાહેઉપર લાકડી અને કાતર જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો તેમજ ફરિયાદી અને સહેદોને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા ફરિયાદીને ગળાના ભાગે ઇજા કરીને શર્ટ ફાડી નાખ્યો હતો તેમજ ચેતનભાઇનો મોબાઇલ ફોન જૂટવી લીધો હતો અને સાહેબ્રિજેશભાઈ દવેના ચશ્મા તોડી નાખીને નુકસાન કર્યું હતું આમ ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ 10 સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે








Latest News