માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારા યોગ ટીમ દ્વારા ત્રિદિવસીય ઈન્ટિગ્રેટેડ યોગ શિબિર યોજાઇ


SHARE

















ટંકારા યોગ ટીમ દ્વારા ત્રિદિવસીય ઈન્ટિગ્રેટેડ યોગ શિબિર યોજાઇ

ટંકારા તાલુકામાં સૌ પ્રથમવાર નિઃશુલ્ક ત્રિદિવસીય ઈન્ટિગ્રેટેડ યોગ અભ્યાસ શિબિર રોગાનુસાર યોગ મહાઅભિયાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તા 4 થી 6 સુધી રોજ સવારે 5:30 થી 7:30 સુધી આર્ય મહાવિદ્યાલય ટંકારા ખાતે શિબિર યોજાયેલ હતી

આ શિબિરનો 300 જેટલા લોકોએ લાભ લીધેલ હતો. ઉલેખનીય છે કે, વર્તમાન સમયમાં લાઇફ સ્ટાઇલ અને બગડતું જતું ખાન-પાન, યુવાવસ્થામાં જ આળસ, સુસ્તી, તણાવ, અનિદ્રા થકી શરીર અનેક રોગોનું ઘર બનેલ છે. આ સમસ્યાથી બચવા આપણા ઋષિમુનિઓએ વારસામાં આપેલ અમૂલ્ય ભેટ યોગ દ્વારા આજના આ ઝડપી યુગમાં પણ દરેક વ્યક્તિ પોતાનું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બળ વધારીને સુખ-શાંતિને પામી શકે છે. અને દક્ષિણ સૌરાષ્ટ્રના પ્રભારી વિનોદભાઈ શર્મા (યોગગુરુ)એ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યને સફળ બનાવવા માટે આચાર્ય રામદેવજી, સ્લોગન ગ્રુપ બેચરભાઈ પટેલ, ખજૂરા રિસોર્ટ બળવંતભાઈ પટેલ, બાલાજી પોલિપેક જગદીશભાઈ પનારા, બહુચર મંડપ સર્વિસ નયનભાઈ, આઝાદ ડીજે ઈમરાનભાઈ, સમીર લાઈટ ડેકોરેશન, ચામુંડા પ્રિન્ટિંગ પ્રેસ ભાવેશભાઈ, ગાયત્રી સ્ટુડિયો સંજયભાઈ નગવાડીયા, ડોક્ટર  વી.બી. ચિખલિયા તેમજ સાગરભાઇ રામાવતસહયોગ આપેલ હતો. અને આ શિબિરમાં ઘણા લોકોએ પ્રતિદિન યોગ સાથે જોડાઈ રહેવા માટે સંકલ્પ પણ કર્યો હતો.




Latest News