માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારાના નાના રામપર ગામના શખ્સ સામે પગલાં લેવાની ગામના લોકોની માંગ


SHARE

















ટંકારાના નાના રામપર ગામના શખ્સ સામે પગલાં લેવાની ગામના લોકોની માંગ

ટંકારા તાલુકાના નાના રામપર ગામે રામદેવપીરનું જુનું મંદિર આવેલું હતું તે પાડીને નવું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગામના જ માથાભારે શખ્સ દ્વારા માથાકૂટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને તેની સામે વિરુદ્ધ કાયદાકીય પગલા લેવાની ગામના લોકો દ્વારા માંગ કરવામાં આવેલ છે અને મામલતદાર તેમજ પોલીસને આવેદન આપવામાં આવ્યું હતું.

હાલમાં નાના રામપર ગામના લોકોએ જે આવેદન આપેલ છે તેમાં જણાવ્યુ છે કે, નાના રામપર ગામના પાદરમાં રામદેવપીરનું જુનું મંદિર હતું તેને પાડીને નવું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. તેવામાં તા. 6/4 ના રોજ રાતના સમયે રણજીતસિંહ ઉર્ફે રણુભા ઝાલા કાર લઈને આવ્યા હતા. અને ત્યારે તે નશાની હાલતમાં હોય મંદિરમાં કામ કરી રહેલા ગ્રામજનો સાથે માથાકૂટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ગામના લોકોએ એવી પણ રજૂઆત કરી હતી કે, સહકારી મંડળીની કાર્યવાહી પોતાની માલિકીની જગ્યામાં કરી મંડળીના સભ્યો સાથે અસભ્ય વર્તન કર્યાની ફરિયાદ કરેલી હતી છતાં પગલાં લેવામાં આવ્યા નથી જેથી આ બંને બાબતે મામલતદાર અને પોલીસને રજૂઆત કરીને પગલાં લેવા માટેની માંગ કરી છે. વધુમાં આગેવાનોએ જણાવ્યુ હતું કે, ગામના લોકોની સાથે પણ ઘણી વખત અસભ્ય વર્તન કરે છે જેથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરેલ છે.




Latest News