મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે રસોઈ બનાવતા સમયે કપડાં ઉપર કેરોસીન પડતાં દાઝી ગયેલ મહિલાનું સારવારમાં મોત


SHARE













હળવદના માથક ગામે રસોઈ બનાવતા સમયે કપડાં ઉપર કેરોસીન પડતાં દાઝી ગયેલ મહિલાનું સારવારમાં મોત

હળવદ તાલુકાના માથક ગામે રહેતી મહિલા પોતાના ઘરે ચૂલામાં રસોઈ બનાવતી હતી ત્યારે ચૂલામાં કેરોસીન નાખીને ડબલાનું ઢાંકણું બંધ કરતી હતી ત્યારે ઢાંકણું બંધ થયું ન હતું અને કેરોસીન તેના કપડા ઉપર ઢોળાતા ચૂલાની આગ મહિલાના કપડામાં લાગી હતી જેથી મહિલા આખા શરીરે દાઝી જતાં તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું. જે બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથ ગામે રહેતા સોનલબેન રૈયાભાઈ સરૈયા (45) નામની મહિલા ગઈકાલે બપોરના 12:30 વાગ્યા પહેલા પોતે પોતાના ઘરે હતી અને ચૂલા ઉપર રસોઈ બનાવી રહી હતી ત્યારે ચાલુ ચૂલામાં કેરોસીનના ડબલામાંથી કેરોસીન રેડીને ડબલાનું ઢાંકણું બંધ કરી રહી હતી ત્યારે ઢાંકણું બંધ થયું ન હતું અને અકસ્માતે કેરોસીન સોનલબેનના કપડા ઉપર ઢોળાતાં ચૂલાની આગ તેના કપડામાં લાગી હતી જેથી સોનલબેન આખા શરીરે દાઝી ગયા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








Latest News