મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરિણીતાના મોતના બનાવમાં પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરમાં પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

વાંકાનેરના પંચાસર રોડ ઉપર ધરમનગરમાં રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક પરણીતાના પિતાએ હાલમાં તેના જમાઈ  સહિત ત્રણ સામે દીકરીને મળવા મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ગીર સોમનાથ જિલ્લાના નાવદ્રા ગામના રહેવાસી અરજણભાઈ માંડાભાઈ ભરડા (50)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નિલેશભાઈ મેણશીભાઈ કરગઠીયા, અલ્પેશભાઈ મેણશીભાઈ કરગઠીયા રહે. બંને મૂળ દુધાળા ગીર તાલુકો માળીયા હાટીના હાલ રહે વાંકાનેર અને સંજયભાઈ રાણાભાઇ રાઠોડ રહે. ખેર ગામ તાલુકો માળીયા હાટીના વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેઓની દીકરી જસવંતીબેનને આરોપીઓએ કોઈ પણ કારણોસર શારીરિક દુઃખ ત્રાસ આપી મળવા મજબૂર કરી હતી જેથી કરીને ફરિયાદીની દીકરીએ પોતે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી દીકરીએ કરેલા આપઘાતના બનાવ સંદર્ભે પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ફરિયાદીના જમાઈ અને તેના ભાઈ તેમજ બનેવીની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News