જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરિણીતાના મોતના બનાવમાં પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરમાં પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

વાંકાનેરના પંચાસર રોડ ઉપર ધરમનગરમાં રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક પરણીતાના પિતાએ હાલમાં તેના જમાઈ  સહિત ત્રણ સામે દીકરીને મળવા મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ગીર સોમનાથ જિલ્લાના નાવદ્રા ગામના રહેવાસી અરજણભાઈ માંડાભાઈ ભરડા (50)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નિલેશભાઈ મેણશીભાઈ કરગઠીયા, અલ્પેશભાઈ મેણશીભાઈ કરગઠીયા રહે. બંને મૂળ દુધાળા ગીર તાલુકો માળીયા હાટીના હાલ રહે વાંકાનેર અને સંજયભાઈ રાણાભાઇ રાઠોડ રહે. ખેર ગામ તાલુકો માળીયા હાટીના વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેઓની દીકરી જસવંતીબેનને આરોપીઓએ કોઈ પણ કારણોસર શારીરિક દુઃખ ત્રાસ આપી મળવા મજબૂર કરી હતી જેથી કરીને ફરિયાદીની દીકરીએ પોતે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી દીકરીએ કરેલા આપઘાતના બનાવ સંદર્ભે પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ફરિયાદીના જમાઈ અને તેના ભાઈ તેમજ બનેવીની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News