મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને મહિલાએ જીવનનો અંત આણ્યો


SHARE













મોરબીમાં બીમારીથી કંટાળીને મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર નવજીવન સ્કૂલની પાછળના ભાગમાં આવેલ ગૌરી પાર્ક સોસાયટીમાં “માં હાઈટ્સ” એપાર્ટમેન્ટમાં રહેતી પરણીતાએ પોતાની બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મહિલાનો પતિ હોસ્પિટલે લઈને લાવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ઘુડા રોડ ઉપર નવજીવન સ્કૂલની પાછળના ભાગમાં આવેલ ગૌરી પાર્ક સોસાયટીમાં “માં હાઈટ્સ” એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 302 માં રહેતા વિશાલભાઈ દિનેશભાઈ સવસાણીના પત્ની નિરાલીબેન વિશાલભાઈ સવસાણી (30)એ પોતાના ઘરની અંદર છાતમાં લગાવેલ પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને 108 મારફતે તાત્કાલિક તેને હોસ્પિલતે લાવ્યા હતા અને ત્યાં ડોક્ટરે જોઈ તપાસીને મહિલાને મૃત જાહેર કરી હતી અને આ બનાવ અંગેની મૃતક મહિલાના પતિએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે છેલ્લા છએક વર્ષથી વિચાર વાયુ જે મગજની બીમારી મહિલાને હતી તેનાથી કંટાળીને આ મહિલાએ પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે તેવું મૃતકના પરિવારજન પાસેથી પોલીસને જાણવા મળ્યું છે જેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીના ભડીયાદ રોડ ઉપર આનંદ પાનની સામેના ભાગમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રાજુભાઈ કેશુભાઈ ચૌહાણ (58રહે. ભડીયાદ રોડ ભડીયાદ કાંટા પાસે વેલનાથ બાપુના મંદિરની પાછળ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 7,100 ની રોકડ કબજે કરી હતી અને તે અફઝલ ઉર્ફે જલો અકબરભાઈ સમા રહે. સોઓરડી મોરબી વાળા પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી બંને શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને અફઝલ ઉર્ફે જલો માને પકડવા માટે પોલીસે તજવીજ હાથ જાય છે








Latest News