લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

હળવદમાંથી ચોરી થયેલા વાહનનો ગ્રાહકને ૩.૩૨ લાખ વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક અદાલતે કર્યો આદેશ


SHARE

















હળવદમાંથી ચોરી થયેલા વાહનનો ગ્રાહકને ૩.૩૨ લાખ વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક અદાલતે કર્યો આદેશ

હળવદના વતની મેહુલ ભૂપતભાઈ રાતૈયાનું પીક અપ વાહન હળવદ માર્કેટીંગ યાર્ડ પાસેથી તા. ૨૦-૧૨-૨૦૨૩ ના રોજ ચોરી કરવામાં આવેલ છે અને તેમણે વિમો ચોલા મંડલમ જનરલ ઈન્સ્યુરન્સનો લીધેલ હતો. જો કે, વિમા કંપનીએ ફરિયાદીને ફરિયાદ મોડી લખાવ્યા સબબ વિમો આપવાનીના પાડતા મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો જેમાં ગ્રાહક અદાલતે ૩,૩૨,૫૦૦ રૂપિયા ટકાના વ્યાજ સાથે તા. ૨૦-૧૧-૨૦૨૪થી ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, હળવદના વતની મેહુલભાઈ ભુપતભાઈ રાતૈયાનું પીક અપ વાહન હળવદ માર્કેટીંગ યાર્ડ પાસે તા. ૧૯-૧૨-૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે રાખવામા આવેલ હતું અને તે વાહનની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને ફરિયાદ પણ કરેલ હતી જો કે, ગ્રાહકે તેના વાહનનો વિમો ચૌલા મંડલમ જનરલ ઈન્સ્યુરન્સમાંથી લીધેલ હતો. જો કે, ગ્રાહકે તેનું વાહન ચોરી થયેલ હોવાની તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસે તેને દશેક દિવસ રાહ જોવાનું કહ્યું હતું ત્યાર બાદ ફરિયાદ લીધેલ હતી જેથી વિમા કંપનીએ ગ્રાહકે વાહન ચોરાયાની ફરિયાદ મોડી કરેલ છે તેવું બહાનું કહીને ગ્રાહકને વિમો નહી મળે તેમ જણાવ્યુ હતું જો કે, મેહુલભાઈએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફત મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરેલ હતો અને અદાલતે ગ્રાહકે ફરિયાદ મોડી કરી તેનું કારણ પોલીસ ખાતા તરફથી રૂકજાવનો સંદેશો આવેલ હતો. જેથી વિમા કંપનીની કોઈપણ દલીલ માન્ય રાખેલ નહી અને મેહુલ ભૂપતભાઈને ૩,૩૨,૫૦૦ રૂપિયા તા. ૨૦-૧૧-૨૪ થી 6 ટકાના વ્યાજ સાથે અને ૫૦૦૦ રૂપિયા અન્ય ખર્ચના ચુકવવાનો અદાલતે વિમા કંપનીને હુકમ કરેલ છે. તેમ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા તેમજ બળવંતભાઈ ભટ્ટ અને રામભાઈ મહેતાએ જણાવ્યુ છે.




Latest News