મોરબીના રાજપર (કું) ગામે વાડીના કૂવામાં પડી જવાથી માનસિક બીમાર યુવાનનું મોત મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ માળીયા (મી) નજીક ટ્રક ચાલકે પાછળથી ટ્રક મારતા એસટીની બસ આગળના ટ્રકમાં અથડાઇ: ગુનો નોંધાયો વાંકાનેરના મેસરીયા પાસે કારખાનાની બહાર ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત હળવદના ગોલાસણ ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ટંકારાના મેઘપર ઝાલા ગામે તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત
Breaking news
Morbi Today

હળવદમાંથી ચોરી થયેલા વાહનનો ગ્રાહકને ૩.૩૨ લાખ વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક અદાલતે કર્યો આદેશ


SHARE











હળવદમાંથી ચોરી થયેલા વાહનનો ગ્રાહકને ૩.૩૨ લાખ વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક અદાલતે કર્યો આદેશ

હળવદના વતની મેહુલ ભૂપતભાઈ રાતૈયાનું પીક અપ વાહન હળવદ માર્કેટીંગ યાર્ડ પાસેથી તા. ૨૦-૧૨-૨૦૨૩ ના રોજ ચોરી કરવામાં આવેલ છે અને તેમણે વિમો ચોલા મંડલમ જનરલ ઈન્સ્યુરન્સનો લીધેલ હતો. જો કે, વિમા કંપનીએ ફરિયાદીને ફરિયાદ મોડી લખાવ્યા સબબ વિમો આપવાનીના પાડતા મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો જેમાં ગ્રાહક અદાલતે ૩,૩૨,૫૦૦ રૂપિયા ટકાના વ્યાજ સાથે તા. ૨૦-૧૧-૨૦૨૪થી ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, હળવદના વતની મેહુલભાઈ ભુપતભાઈ રાતૈયાનું પીક અપ વાહન હળવદ માર્કેટીંગ યાર્ડ પાસે તા. ૧૯-૧૨-૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે રાખવામા આવેલ હતું અને તે વાહનની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને ફરિયાદ પણ કરેલ હતી જો કે, ગ્રાહકે તેના વાહનનો વિમો ચૌલા મંડલમ જનરલ ઈન્સ્યુરન્સમાંથી લીધેલ હતો. જો કે, ગ્રાહકે તેનું વાહન ચોરી થયેલ હોવાની તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસે તેને દશેક દિવસ રાહ જોવાનું કહ્યું હતું ત્યાર બાદ ફરિયાદ લીધેલ હતી જેથી વિમા કંપનીએ ગ્રાહકે વાહન ચોરાયાની ફરિયાદ મોડી કરેલ છે તેવું બહાનું કહીને ગ્રાહકને વિમો નહી મળે તેમ જણાવ્યુ હતું જો કે, મેહુલભાઈએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફત મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરેલ હતો અને અદાલતે ગ્રાહકે ફરિયાદ મોડી કરી તેનું કારણ પોલીસ ખાતા તરફથી રૂકજાવનો સંદેશો આવેલ હતો. જેથી વિમા કંપનીની કોઈપણ દલીલ માન્ય રાખેલ નહી અને મેહુલ ભૂપતભાઈને ૩,૩૨,૫૦૦ રૂપિયા તા. ૨૦-૧૧-૨૪ થી 6 ટકાના વ્યાજ સાથે અને ૫૦૦૦ રૂપિયા અન્ય ખર્ચના ચુકવવાનો અદાલતે વિમા કંપનીને હુકમ કરેલ છે. તેમ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા તેમજ બળવંતભાઈ ભટ્ટ અને રામભાઈ મહેતાએ જણાવ્યુ છે.






Latest News