મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના બે કેસમાં ફરિયાદી આર્થિક ક્ષમતા બતાવી ન શકતા ફરિયાદ રદ કરતી કોર્ટ


SHARE











મોરબીમાં ચેક રિટર્નના બે કેસમાં ફરિયાદી આર્થિક ક્ષમતા બતાવી ન શકતા ફરિયાદ રદ કરતી કોર્ટ

મોરબીમાં ચેક મુજબની રકમ આરોપીને હાથ ઉછીના આપવાની આર્થિક ક્ષમતા ફરીયાદી બતાવી નહીં શકતા ચેક રીટર્નની ફરીયાદ રદ કરી આરોપીને છોડી મુકવાનો મોરબીની કોર્ટે હુકમ કરેલ છે.

તાજેતરમાં મોરબીની કોર્ટ દ્વારા ચેક રીટર્નના ફોજદારી ફરીયાદમાં મહત્વનો ચુકાદો આપેલ છે. જે કેસની હકીકત એવી હતી કે, ફરીયાદી મોરબી જીલ્લાના રાજપર ગામના વતની ધનજીભાઈ કેશવજીભાઈ મારવાણીયાએ આરોપી શૈલેષ વેલજીભાઈ ચાવડાને હાથ ઉછીની રકમ ૧૦,૦૦,૦૦૦ આપેલ અને આ રકમ પરત ચૂકવવા માટે શૈલેષ વેલજીભાઈ ચાવડાએ ૫,૦૦,૦૦૦ નો એક તેવા કુલ બે ચેક ફરીયાદીને આપેલ હતા અને આ બન્ને ચેક ફરીયાદીએ નાણા વસુલવા પોતાના ખાતામાં રજુ કરતા, બન્ને ચેકો વણચૂકવ્યા પરત થયા હતા જેથી ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ મોરબી કોર્ટમાં જુદા જુદા ચેક અંગેના ફોજદારી કેસ નાં. ૬૧૩૭/૨૦૨૦ તથા ફોજદારી કેસ નાં. ૬૨૯૫/૨૦૨૦ થી દાખલ કરી હતી જે બંને કેસ મોરબીના મહે. ત્રીજા એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની સાહેબની કોર્ટમાં ચાલી ગયા હતા જેમાં ફરીયાદી પક્ષના પુરાવામાં ચેક મજબની રકમ આરોપીને હાથ ઉછીની આપવાની આર્થિક ક્ષમતા ફરીયાદી બતાવી નહીં શકતા અને ૧૦,૦૦,૦૦૦ રોકડા આરોપીને ચૂકવેલ હોવાનું પુરવાર નહીં કરી શકતા બન્ને ફરીયાદ રદ કરી આરોપીને નિર્દોષ છોડી મુકવાનો ખુબ જ મહત્વનો હુકમ કોર્ટે કરેલ છે.આ કેસમાં આરોપી તરફે વકીલ ચિરાગભાઇ કારીઆ અને રવિભાઇ કારીઆ રોકાયેલ હતા.






Latest News