લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના બે કેસમાં ફરિયાદી આર્થિક ક્ષમતા બતાવી ન શકતા ફરિયાદ રદ કરતી કોર્ટ


SHARE

















મોરબીમાં ચેક રિટર્નના બે કેસમાં ફરિયાદી આર્થિક ક્ષમતા બતાવી ન શકતા ફરિયાદ રદ કરતી કોર્ટ

મોરબીમાં ચેક મુજબની રકમ આરોપીને હાથ ઉછીના આપવાની આર્થિક ક્ષમતા ફરીયાદી બતાવી નહીં શકતા ચેક રીટર્નની ફરીયાદ રદ કરી આરોપીને છોડી મુકવાનો મોરબીની કોર્ટે હુકમ કરેલ છે.

તાજેતરમાં મોરબીની કોર્ટ દ્વારા ચેક રીટર્નના ફોજદારી ફરીયાદમાં મહત્વનો ચુકાદો આપેલ છે. જે કેસની હકીકત એવી હતી કે, ફરીયાદી મોરબી જીલ્લાના રાજપર ગામના વતની ધનજીભાઈ કેશવજીભાઈ મારવાણીયાએ આરોપી શૈલેષ વેલજીભાઈ ચાવડાને હાથ ઉછીની રકમ ૧૦,૦૦,૦૦૦ આપેલ અને આ રકમ પરત ચૂકવવા માટે શૈલેષ વેલજીભાઈ ચાવડાએ ૫,૦૦,૦૦૦ નો એક તેવા કુલ બે ચેક ફરીયાદીને આપેલ હતા અને આ બન્ને ચેક ફરીયાદીએ નાણા વસુલવા પોતાના ખાતામાં રજુ કરતા, બન્ને ચેકો વણચૂકવ્યા પરત થયા હતા જેથી ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ મોરબી કોર્ટમાં જુદા જુદા ચેક અંગેના ફોજદારી કેસ નાં. ૬૧૩૭/૨૦૨૦ તથા ફોજદારી કેસ નાં. ૬૨૯૫/૨૦૨૦ થી દાખલ કરી હતી જે બંને કેસ મોરબીના મહે. ત્રીજા એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની સાહેબની કોર્ટમાં ચાલી ગયા હતા જેમાં ફરીયાદી પક્ષના પુરાવામાં ચેક મજબની રકમ આરોપીને હાથ ઉછીની આપવાની આર્થિક ક્ષમતા ફરીયાદી બતાવી નહીં શકતા અને ૧૦,૦૦,૦૦૦ રોકડા આરોપીને ચૂકવેલ હોવાનું પુરવાર નહીં કરી શકતા બન્ને ફરીયાદ રદ કરી આરોપીને નિર્દોષ છોડી મુકવાનો ખુબ જ મહત્વનો હુકમ કોર્ટે કરેલ છે.આ કેસમાં આરોપી તરફે વકીલ ચિરાગભાઇ કારીઆ અને રવિભાઇ કારીઆ રોકાયેલ હતા.




Latest News