મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નાનાભેલા ગામ સમસ્ત શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


SHARE













મોરબીના નાનાભેલા ગામ સમસ્ત શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબીના નાનાભેલા મુકામે નાનાભેલા ગામ સમસ્ત શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.૧૨-૪ થી તા.૧૪-૪ દરમ્યાન યોજાઈ રહ્યો છે.જેમાં તા.૧૨ ના રોજ બપોર પછી દેહ શુદ્ધિ પ્રાયશ્વિત, હનુમંત મહાયજ્ઞ તથા સાંજે- મિલન કાકડીયા(લોક ગાયક) , હરેશદાન ગઢવી (લોક ગાયક), તથા ચાંદની પટેલ (લોક ગાયિકા) મારુતિ સાઉન્ડના સથવારે રાસ ગરબાની રમઝટ બોલાવસે.

તેમજ તા.૧૩-૪ ના રોજ જળયાત્રા, મુર્તિના સામૈયા, રાજોપચાર પૂજા, દેવ પ્રસાદ વાસ્તુ, પ્રતિષ્ઠા યજ્ઞ, અમૃતાભિષેક, ભગવાન ની ભવ્ય શોભાયાત્રા નીકળી ધાન્યાધિવાસ થશે.તથા રાત્રે લોક ડાયરોમાં નિલેશ ગઢવી(લોક ગાયક), પૂજા ચૌહાણ(લોક ગાયિકા), રવિ ચૌહાણ (ભજનીક), લાભુદાન ગઢવી ( લોક સાહિત્યકાર) તથા સુરેશ પટેલ- નાની વાવડી(સાજીંદા ગ્રુપ) લોક ગીતો તથા સંતવાણીની પ્રસ્તુત કરશે.તા.૧૪ ના રોજ લઘુસદ્ર મહાયજ્ઞ, સંતોના સામૈયા, પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, કળશ ધજા આરોહણ, ધર્મસભા અને મહાઆરતી અને મહાપ્રસાદ સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થશે.તેથી આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે.




Latest News