મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના પુત્ર ડૉ.પ્રશાંત મેરજાની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ


SHARE













રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના પુત્ર ડૉ.પ્રશાંત મેરજાની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ

મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના મોટા દીકરા ડૉ.પ્રશાંત મેરજાએ આપબળે ડૉક્ટરની ડિગ્રી મેળવેલી હતી અને ઈન્ટરશીપ દરમિયાન કાર અકસ્માતમાં ૨૩ વર્ષની ભર યુવાનીમાં તા.૧૯ એપ્રિલ ૨૦૦૮ ના રોજ તેઓ પરલોક સીધાવી ગયો હતો. ડૉ. પ્રશાંતે તેમના પરિવાર સમક્ષ એવો વિચાર મૂકેલો કે પોતે મેડિકલ પ્રેક્ટિસ કરશે ત્યારે ગરીબ દર્દીઓની મફત સારવાર કરશે.

કમનશીબે તેમનુ અણધાર્યું અવસાન થતાં તેમનો વિચાર જીવંત રાખવા ડૉ.પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી ગરીબ દર્દીઓ માટે સેવાઓના જુદાજુદા પ્રકલ્પો રાખવામા આવે છે. આગામી તા. ૧૩ ને રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨ દરમિયાન ક્રિષ્ના હોલ, કંડલા બાયપાસ રોડ, વાવડી ચોકડી પાસે, મોરબી ખાતે ડો.પ્રશાંત મેરજાની સ્મૃતિમાં મફત નિદાન, સારવાર અને દવાની સુવિધા સાથે સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ છે.

આ કેમ્પ ફીઝીશીયન ડૉ. ભાવિન ગામીના નેજા હેઠળ યોજાશે અને ડૉ. અક્ષય જાકાસણીયા (બાળ રોગ નિષ્ણાંત, ક્રિષ્ના હોસ્પિટલ), ડૉ.યોગેશ પેથાપરા, ડૉ. કિશન બોપલિયા, ડો. પુલકિત પ્રકાશભાઈ, ડો. કલ્પેશ રંગપરિયા અને ડો. નિસર્ગ પડસુંબિયા આ કેમ્પમાં ફ્રી સેવા આપશે. જેથી કરીને કેમ્પનો દર્દીઓએ લાભ લેવા સન્ની મેરજ તેમજ ડૉ.ભાવિન ગામીએ અનુરોધ કર્યો છે.




Latest News