વાંકાનેરના માર્કેટ ચોકમાં ભાજપના સ્થાપના દિવસે ધારાસભ્યની હાજરીમાં વિશાળ સંમેલન યોજાયું
મોરબીના કારખાનેદારે નુકશાની વળતરના કેસમાં GSPC એ કરેલી અરજી સિવિલ કોર્ટે ફગાવી
SHARE








મોરબીના કારખાનેદારે નુકશાની વળતરના કેસમાં GSPC એ કરેલી અરજી સિવિલ કોર્ટે ફગાવી
મોરબીમાં હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામે આવેલ સેનીસ્ટો સીરામીક એલ.એલ.પી. ના પાર્ટનર પુનિતભાઈ વાલજીભાઈ વાછાણીએ મોરબીની સિવિલ કોર્ટમાં ગુજરાત ગેસ લીમીટેડ-મોરબી ઝોનલ ઓફીસ, ગુજરાત ગેસ લીમીટેડ-રજીસ્ટર્ડ ઓફીસ, ગુજરાત ગેસ લીમીટેડ- કોર્પોરેટ ઓફીસ તથા નાયબ ઈજનેર જેટકો ચારે સામે ૨૪,૦૦,૦૦૦ ની નુકશાની મેળવવા દાવો દાખલ કર્યો હતો.
જે દાવાની હકીકત એવી છે કે આ ચારેય પ્રતિવાદીઓએ વાદી સેનીસ્ટો સીરામીક એલ.એલ.પી. ની ફેકટરીના પ્રીમાઈસીઝ પાસે પ્રતિવાદીના મેઇન્ટેનન્સ વિભાગ દ્રારા રીપેરીંગ કામ દરમ્યાન બેદરકારી રાખતા તેમની બેદરકારીના કારણે વાદી સેનીસ્ટો સીરામીક એલ.એલ.પી. ને ગેસનુ પ્રેસર ઘટી જતા ભઠ્ઠીમાં તાપમાન ઘટી જતા માલને મોટુ નુકશાન થયું હતું જેથી નુકશાન વળતર મેળવવા રે.દિવાની કેશ નં.૧૮૯/૨૧ થી દાવો દાખલ કરેલ હતો. આ દાવામાં પ્રતિવાદી તરફથી એવી અરજી કરવામાં આવેલ હતી કે આ દાવો કોર્ટમાં ચલાવી ન શકાય અને આ દાવો "ધી આર્બીટ્રેશન એન્ડ કન્સીલીએશન એકટ-૧૯૯૬" ની કલમ-૮ અન્વયે આ દાવો લવાદી કોર્ટમાં ટ્રાન્સફર કરવા અરજી કરેલ હતી જેમાં વાદી તરફથી સખત વાંધાઓ અને દલીલો રજુ થતા કોર્ટના એડીશ્નલ સિવિલ જજ સાહેબ સી.વાય.જાડેજા સાહેબે પ્રતિવાદીની લવાદી કોર્ટમાં દાવો ટ્રાન્સફર કરવાની અરજી "રદ" કરેલ છે અને કોર્ટે વધુમાં એવુ જણાવેલ છે કે વાદીએ આ દાવો ફકત ગુજરાત ગેસ લીમીટેડ સામે જ કરેલો નથી પરંતુ વાદીએ આ દાવામાં ગુજરાત ગેસ લીમીટેડ સાથે GETCO ને પણ પ્રતિવાદી પક્ષે જોડેલ છે અને પ્રતિવાદી ગુજરાત ગેસે પોતે જ તેના નોટીશ જવાબમાં વાદીને થયેલ નુકશાની અંગે GETCO જવાબદાર છે તેવું દર્શાવેલ હોઈ તેથી જ વાદીએ બન્ને કંપની સામે દાવો કરેલ છે તેથી આર્બીટ્રેશન એકટ ની કલમ-૮ ની જોગવાઈ મુજબ ફકત જે કંપની સાથે કરાર થયો હોઈ તે એક જ કંપનીની સામે દાવો દાખલ કરેલ હોય તો જ આ એકટની કલમ-૮ લાગુ પડે જયારે આ દાવામાં બીજી કંપની GETCO પણ પક્ષકાર તરીકે હોઈ GSPC ની તરફથી કરવામાં આવેલ "ધી આર્બીટ્રેશન એન્ડ કન્સીલીએશન એકટ-૧૯૯૬" ની કલમ-૮ મુજબ આ દાવો લવાદ કોર્ટમાં ટ્રાન્ફર કરવા કરેલ અરજી નામદાર કોર્ટે રદ કરેલ છે.આ દાવાના કામે વાદી પક્ષે કોટક લો ચેમ્બરમાં પ્રેકટીશ કરતા વિદ્વવાન વકીલ હાર્દિક ડી.ગોસ્વામી તથા હિરેન ડી.ગોસ્વામી રોકાયેલ હતા.

