મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દરબારગઢથી નહેરૂ ગેઇટ રોડ ચોમાસા પહેલા થઇ જશે તેવી ખાત્રી આપોલ તેનું શું થયુ..? : વેપારીઓ


SHARE











મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દરબારગઢથી નહેરૂ ગેઇટ રોડ ચોમાસા પહેલા થઇ જશે તેવી ખાત્રી આપોલ તેનું શું થયુ..? : વેપારીઓ
 
મોરબી માળિયા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ થોડા સમય પહેલા નહેરૂ ગેઇટ ચોકમાં રોડનું ખાતમુર્હુત કરેલ હતુ.ત્યારે જણાવેલ હતુ કે દરબારગઢથી નહેરૂ ગેઇટ રોડ ચોમાસા પહેલા થઇ જશે તેમ વચન આપેલ હતુ.પરંતુ આ બીજુ ચોમાસુ આવશે તો પણ હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી.તેવો રોષ વેપારીઓ વ્યકત તરી રહ્યા છે. રોડ-રસ્તાની ગ્રાન્ટ તો ઘણી આવી પણ હજુ સુધી કોઈ કામ થયેલ નથી. ધારાસભ્ય મોટી-મોટી વાતો કરે છે તે મુજબ કામ કરીને દેખાડે તો વેપારીઓ અને આમજનતાનો તેમના ઉપર વિશ્વાસ મજબુત થશે.હવે તો મહાનગરપાલીકા થઇ હજુ પણ રોડ રસ્તાના કોઈ ઠેકાણા નથી મોરબી ટેક્ષ ઉઘરાવવામાં નંબર વન આવ્યુ છે પરંતુ પ્રજાને સુખાકારીમાં છેલ્લી પાયરીએ છે.તો શું નહેરૂ ગેઇટથી દરબારગઢ રોડ ચુંટણી પહેલા રોડ રસ્તા થઇ જશે ? કે ફરીથી લોલીપોપ આપવામાં આવશે.? 
 
મોરબીમાં આવેલ ખખડધજ રોડ જેમાં સ્ટેશન રોડ, જડેશ્વર રોડ, દરબારગઢથી ગ્રીન ચોક, ગીન ચોકથી નહેરૂ ગેઇટ, જડેશ્વર રોડ, જુના બસ સ્ટેન્ડ પાસે મચ્છી પીઠ રોડ, આશ્વાદ પાન વાળો રોડ જેવા સીટીના મેઇન રોડ સંપુર્ણ નાશ પામેલ હોય તે નવો બનાવી આપવો જરૂરી છે.કેમ કે મોરબીના વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે અને હવે તો દુકાનોમાં પણ પાણા ઉડે તેવી કપચીઓ નાંખી દીધી છે.તેમજ તેમજ ધુળની ડમ્મરી ઉડે છે.આ બાબતે અગાઉ પણ અરજીઓ કરેલ છે.પરંતુ કોઈ નિકાલ હજુ સુધી આવેલ નથી.માથે આવે છે ચોમાસુ જેથી વેપારીઓ અને શહેરીજનોની મુશતેલી વધશે.ચોમાસુ વિદાય લીધે આ ઉપરોકત દર્શાવેલ તમામ રોડ તાત્કાલીક નવા બનાવો તેવી વેપારીઓ તથા આમ જનતાની માંગ છે.
 
સામાન્ય બાબતમાં મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવે છે મોરબીના ધારાસભ્ય પણ પબ્લીકનું સાંભળતા નથી.તેથી લોકોએ નાછુટકે મુખ્યમંત્રીને રજુઆત કરવી પડે છે.જે શરમજનક બાબત છે.મોરબીમાં હવે કમીશ્નરની નિમણુંક થયેલ છે.તો શું આ અરજીને ધ્યાને લઇને કમીશ્નર ઉપર દર્શાવેલ તમામ કામો કરશે. એવી અમોની આશા અને વિશ્વાસ છે. કેમ કે મોરબીને કમીશ્નર સ્વપ્નીલ ખરે પણ સારા મળેલ છે. અને મોરબી પ્રત્યે કમીશ્નરને ઘણી લાગણી છે.મોરબી સુધારવા માટે અને પ્રજાજનોના વિશ્વાસને ટકાવી રાખવા ઉપરોકત તમામ રોડોના કામો તાત્કાલીક કરવામાં આવે તેવી પ્રજામાંથી પણ માંગ ઉઠી રહી છે.તેમ અહીંના સામાજીક કાર્યકરોએ ઉચ્ચકક્ષા રજૂઆત કરેલ છે.





Latest News