હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દરબારગઢથી નહેરૂ ગેઇટ રોડ ચોમાસા પહેલા થઇ જશે તેવી ખાત્રી આપોલ તેનું શું થયુ..? : વેપારીઓ


SHARE













મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દરબારગઢથી નહેરૂ ગેઇટ રોડ ચોમાસા પહેલા થઇ જશે તેવી ખાત્રી આપોલ તેનું શું થયુ..? : વેપારીઓ
 
મોરબી માળિયા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ થોડા સમય પહેલા નહેરૂ ગેઇટ ચોકમાં રોડનું ખાતમુર્હુત કરેલ હતુ.ત્યારે જણાવેલ હતુ કે દરબારગઢથી નહેરૂ ગેઇટ રોડ ચોમાસા પહેલા થઇ જશે તેમ વચન આપેલ હતુ.પરંતુ આ બીજુ ચોમાસુ આવશે તો પણ હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી.તેવો રોષ વેપારીઓ વ્યકત તરી રહ્યા છે. રોડ-રસ્તાની ગ્રાન્ટ તો ઘણી આવી પણ હજુ સુધી કોઈ કામ થયેલ નથી. ધારાસભ્ય મોટી-મોટી વાતો કરે છે તે મુજબ કામ કરીને દેખાડે તો વેપારીઓ અને આમજનતાનો તેમના ઉપર વિશ્વાસ મજબુત થશે.હવે તો મહાનગરપાલીકા થઇ હજુ પણ રોડ રસ્તાના કોઈ ઠેકાણા નથી મોરબી ટેક્ષ ઉઘરાવવામાં નંબર વન આવ્યુ છે પરંતુ પ્રજાને સુખાકારીમાં છેલ્લી પાયરીએ છે.તો શું નહેરૂ ગેઇટથી દરબારગઢ રોડ ચુંટણી પહેલા રોડ રસ્તા થઇ જશે ? કે ફરીથી લોલીપોપ આપવામાં આવશે.? 
 
મોરબીમાં આવેલ ખખડધજ રોડ જેમાં સ્ટેશન રોડ, જડેશ્વર રોડ, દરબારગઢથી ગ્રીન ચોક, ગીન ચોકથી નહેરૂ ગેઇટ, જડેશ્વર રોડ, જુના બસ સ્ટેન્ડ પાસે મચ્છી પીઠ રોડ, આશ્વાદ પાન વાળો રોડ જેવા સીટીના મેઇન રોડ સંપુર્ણ નાશ પામેલ હોય તે નવો બનાવી આપવો જરૂરી છે.કેમ કે મોરબીના વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે અને હવે તો દુકાનોમાં પણ પાણા ઉડે તેવી કપચીઓ નાંખી દીધી છે.તેમજ તેમજ ધુળની ડમ્મરી ઉડે છે.આ બાબતે અગાઉ પણ અરજીઓ કરેલ છે.પરંતુ કોઈ નિકાલ હજુ સુધી આવેલ નથી.માથે આવે છે ચોમાસુ જેથી વેપારીઓ અને શહેરીજનોની મુશતેલી વધશે.ચોમાસુ વિદાય લીધે આ ઉપરોકત દર્શાવેલ તમામ રોડ તાત્કાલીક નવા બનાવો તેવી વેપારીઓ તથા આમ જનતાની માંગ છે.
 
સામાન્ય બાબતમાં મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવે છે મોરબીના ધારાસભ્ય પણ પબ્લીકનું સાંભળતા નથી.તેથી લોકોએ નાછુટકે મુખ્યમંત્રીને રજુઆત કરવી પડે છે.જે શરમજનક બાબત છે.મોરબીમાં હવે કમીશ્નરની નિમણુંક થયેલ છે.તો શું આ અરજીને ધ્યાને લઇને કમીશ્નર ઉપર દર્શાવેલ તમામ કામો કરશે. એવી અમોની આશા અને વિશ્વાસ છે. કેમ કે મોરબીને કમીશ્નર સ્વપ્નીલ ખરે પણ સારા મળેલ છે. અને મોરબી પ્રત્યે કમીશ્નરને ઘણી લાગણી છે.મોરબી સુધારવા માટે અને પ્રજાજનોના વિશ્વાસને ટકાવી રાખવા ઉપરોકત તમામ રોડોના કામો તાત્કાલીક કરવામાં આવે તેવી પ્રજામાંથી પણ માંગ ઉઠી રહી છે.તેમ અહીંના સામાજીક કાર્યકરોએ ઉચ્ચકક્ષા રજૂઆત કરેલ છે.





Latest News