મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામેથી ચોરી થયેલ બાઈકનો વિમો આપવા ગ્રાહક કોર્ટે કર્યો આદેશ


SHARE











મોરબીના વાવડી ગામેથી ચોરી થયેલ બાઈકનો વિમો આપવા ગ્રાહક કોર્ટે કર્યો આદેશ

મોરબીના નાની વાવડી ગામના પ્રદિપસિંહ બહાદુરસિંહ ઝાલાનું મોટર સાયકલ ચોરી કરવામાં આવ્યું હતું અને તેમણે એચડીએફસી વિમા કંપનીનો વિમો લીધેલ હતી જો કે વીમા કંપનીએ વીમો આપવાની ના પડી હતી જેથી કરીને શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો અને ગ્રાહક અદાલતે ૫૧,૯૭૫ રૂપિયા ૬ ટકાના વ્યાજ સાથે તા. ૩-૮-૨૦૨૩થી ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવીછે કે, નાનીવાવડીના વતની પ્રદિપસિંહ બહાદુરસિંહ ઝાલા તા.૨૪-૯-૨૦૨૨ ના રોજ રાત્રે પોતાના કામ પરથી ઘરે પરત આવેલ અને મોટર સાયકલ પોતાની શેરીમાં મૂક્યું હતું અને રાતના સમયે તેની ચોરી કરવામાં આવી હતી જે બાઈકનો વિમો એચડીએફસીએ રંગો જનરલ ઈન્સ્યુરન્સનો હતો જેથી તેણે વિમા કંપનીને બાઇક ચોરીની જાણ કરેલ હતી જો કે, વિમા કંપનીએ એવી દલીલ કરેલ કે “વાહન ચોરાયાની ફરિયાદ મોડી કરેલ હોઈ વિમો મળે નહી”  આ બાબતે તેમણે મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફત મોરબી જિલ્લાગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કર્યો હતો અને કોર્ટે જણાવેલ હતું કે ફરિયાદીએ વાહન ચોરાયુ ત્યારે તાત્કાલીક જે તે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી જો કે, પોલીસે ફરિયાદ કરવા માટે સાતથી આઠ દિવસ રાહ જોવા માટે કહ્યું હતું જેમાં ગ્રાહકનો કોઈ દોષ નથી વિમા કંપનની સેવામાં ખામી છે માટે વિમા કંપનીએ ગ્રાહકને ૫૧,૯૭૫ રૂપિયા ૬ ટકાના વ્યાજ સાથે તા. ૩-૮-૨૦૨૩ થી ચુકવવા અને ફરિયાદીને ૫૦૦૦ ખર્ચના આપવા તેવો ચુકાદો કર્યો હતો. કોઈપણ ગ્રાહકે પોતાનું વાહન ચોરાઈ જાય કે સળગી જાય તો તાત્કાલીક પોલીસ સ્ટેશનમાં કરિયાદ નોંધાવવી અગર તો અરજી આપવી જોઈએ તેવું ગ્રાહક મંડળના પ્રમુખ લાલજીભાઈએ કહ્યું છે.






Latest News