મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે આગ લાગતાં 180 મણ જીરું સહિત 8.85 લાખનો માલ બળીને ખાખ


SHARE

















મોરબીના લીલાપર ગામે આગ લાગતાં 180 મણ જીરું સહિત 8.85 લાખનો માલ બળીને ખાખ

મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા યુવાને પોતાના ઘરની બાજુમાં 180 મણ જીરું અને કડબનો જથ્થો એક ઢાળિયા શેડમાં રાખ્યો હતો ત્યાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી જીરુ અને કડબ બળીને ખાખ થઈ ગયેલ છે જેથી 8.85 લાખનો માલ બળીને ખા થઈ ગયેલ છે જેની યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના લીલાપર ગામે રબારીવાસમાં રહેતા પ્રવીણભાઈ વશરામભાઈ ભૂંભારિયા (38)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે તેઓએ પોતાના રહેણાંક મકાનની બાજુમાં એક ઢાળીયો શેડ બનાવેલ હતો અને ત્યાં તેણે આસરે 180 મણ જીરું અને કડબનો જથ્થો રાખેલ હતો જેમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને 8,10,000 ની કિંમતનું જીરું  અને 75 હજારની કિંમતનો કડબનો જથ્થો આમ કુલ મળીને 8.85 લાખનો માલ બળીને ખાખ થઈ ગયો છે જેથી ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના કડીયાણા ગામે મનહરભાઈ મગનભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા અમીબેન રાઠવાને ટ્રેક્ટરની ઠોકર લાગતા ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવેલ છે.

બાળકી સારવારમાં

મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગર ખાતે રહેતી રક્ષિતાબેન દિનેશભાઈ મુછડીયા (5) નામની બાળકી મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ ઇરોઝ સિરામિક કારખાના પાસે હતી ત્યારે ત્યાં તેને હડકાયું કૂતરું કરડી ગયું હતું જેથી તેને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News