ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ સામે યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE







મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ સામે યુવાને અણધાર્યું પગલું ભર્યું

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ સામેના ભાગે સોસાયટીના ગેઇટ પાસે આવેલ ઓરડીઓમાં ઉપરના માળે રહેતા યુવાને તેની ઓરડીમાં ચાદર વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું છે.મૃતક કલર કામની મજૂરીનું કામ કરતો હતો.અને મુળ ઉત્તરપ્રદેશનો વતની હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ પોલીસ સ્ટેશન ખાતે જયપ્રકાશ શિવલાલ પાલ યાદવ (૪૦) હાલ રહે. યમુનાનગર સોસાયટી નવલખી રોડ મોરબી મૂળ રહે.ભેસડી ગામ તા.ધનઘાટ જી.સંત કબીરનગર ઉત્તરપ્રદેશ વાળાએ જાણ કરી જણાવ્યું હતું કે, તા.૧૧-૪ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં તેમના ગામના વતની અને હાલ અહીં મોરબીમાં રહીને કલરકામની મજૂરીનું કામ કરતા અમિતસિંહ ગિર્જેશસિંહ રાજપુત (ઉમર ૩૭) હાલ રહે.મોરબી શનાળા- કંડલા બાયપાસ કામઘેનું પાર્ટી પ્લોટ સામે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના ગેઇટ નજીક ઓરડીઓમાં ઉપરના માળે મૂળ રહે.ભેસડી ગામ તા.ધનઘાટ જી. સંત કબીરનગર ઉત્તરપ્રદેશ વાળો તેની ઓરડી ખાતે છતની એંગલમાં ચાદર વડે ગળેટુંપો ખાઈ ગયો છે.જેથી કરીને તેનું મોત નીપજ્યું છે. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ધર્મેન્દ્રસિંહ ઝાલા તપાસ માટે પહોંચ્યા હતા અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.મૃતકે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું ? તે હાલ તપાસનો વિષય છે.

મહિલા સારવારમાં
મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા રવિનાબેન અનિલભાઈ ડંડેચા (28) નામની મહિલાએ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મૂળ દાહોદના રહેવાસી અને હાલમાં કોઈલી ગામે રહેતા અને મજૂરી કામ કરતા મનીષાબેન નારણભાઈ ડાંગી (25) નામની મહિલાએ કોઈ કારણોસર દવા પી લેતા તેને ઉલ્ટી થવા લાગી હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News