મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં હાથીની અંબાડી બંધારણ મૂકીને આજે ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજાઇ


SHARE













મોરબીમાં હાથીની અંબાડી બંધારણ મૂકીને આજે ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજાઇ

ભારતના બંધારણના ઘડવૈયા વિશ્વ રત્ન મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે આજે ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં પહેલી વખત હાથીની અંબાડી બંધારણ મૂકીને ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે આજે શોભાયાત્રા યોજાઇ હતી જેમાં ધારાસભ્યો સહિતના આગેવાનો જોડાયા હતા.

મોરબીમાં 14 એપ્રિલ ડો. બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે સવારે 9:30 કલાકે શહેરના રેલવે સ્ટેશન પાસેથી શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી અને આ વખતે શોભાયાત્રામાં મોરબીના ઇતિહાસમાં પહેલી વખત હાથીની અંબાડી બંધારણ મૂકીને ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી અને મોરબીના રેલ્વે સ્ટેશન રોડ, પરાબજાર, શાકમાર્કેટ ચોક થઈને આ શોભાયાત્રાને મોરબી મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં મૂકવામાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ફુલહાર કરીને પૂર્ણ કરવામાં આવી આવી હતી આ શોભાયાત્રામાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મોરબી શહેર ભાજપના માજી પ્રમુખ લખાભાઇ જારીયા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયુભા જાડેજા, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશીપભાઈ કૈલા, મહામંત્રી ભૂપતભાઇ જારીયા અને ભાવેશભાઈ કંઝારીયા, શહેર યુવા ભાજપના પ્રમુખ જયદીપભાઈ કંડિયા, મોરબી જિલ્લા ભાજપ અનુજાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, અશોકભાઇ ચાવડા, મનુભાઈ સારેસા, ગૌતમભાઈ સોલંકી, ભાનુબેન નગવાડિયા સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા અને ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. અને ખાસ કરીને શહેરમાં શોભાયાત્રાના રૂટ ઉપર લોકો માટે ઠંડાપીણા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવેલ છે.








Latest News