જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

હળવદની તક્ષશિલા કોલેજ દ્વારા આંતરરાષ્ટ્રીય રિસર્ચ કોન્ફરન્સ યોજાઈ ગઈ


SHARE













હળવદની તક્ષશિલા કોલેજ દ્વારા આંતરરાષ્ટ્રીય રિસર્ચ કોન્ફરન્સ યોજાઈ ગઈ

હળવદની તક્ષશિલા કોલેજ દ્વારા તાજેતરમાં મોરબી કમ્ફર્ટ રિસોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ વિકસિત ભારત 2025: પ્રગતિશીલ ભારત માટે બહુવિધઅનુશાસનીય સંશોધન વિષય પર આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય મહેમાન તરીકે વાઇસ ચાન્સલર કાંતિગુરુ શ્યામજી, કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના ડૉ. મોહનભાઈ પટેલ, ડૉ. ટી.એસ જોશી જે વાઈસ ચાન્સલર ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર, ડૉ. નિદતભાઈ બારોટ જે પૂર્વ ઉપકુલપતિ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ  હાજર રહ્યા હતા. અને શિક્ષણમાં સંશોધનની ઉપયોગીયા વિશે માહિતગાર કર્યા હતા

તેમજ રિસર્ચની માહિતી તથા સંશોધન તરીકે માર્ગદર્શન આપવા વક્તા તરીકે ડૉ. રાકેશભાઈ પટેલ પ્રોફેસર ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી તથા ડૉ. એમ. એસ. મોલિયા પ્રોફેસર સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તથા ડૉ. હિરેન મહેતાએ વિકસિત ભારતમાં સંશોધનની ભૂમિકા વિશે સંશોધનકર્તાને માર્ગદર્શન પૂરું પાડયું હતું તથા આ રિસર્ચ કોન્ફરન્સમાં 110 રિસર્ચકર્તા એટલે કે સંશોધનકારો હાજર રહ્યા હતા અને તેમને કરેલ રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. તમામ રીસર્ચ પેપર રીસર્ચ મેટ્રિક જર્નલ જે " PEER REVIEWED & REFEREED " માં રજુ કર્યા હતા. રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020માં ઉચ્ચશિક્ષણ માં થયેલા ફેરફારો અને આ ફેરફારોની વિકસીત ભારતમાં ભૂમિકા વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન હળવદ તક્ષશિલા કોલેજના પ્રિન્સીપાલ ડૉ. અલ્પેશ સિણોજીયાએ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે તક્ષશિલા સંકુલમાં ફરજ બજાવતા પટેલ પાર્થભાઈ, પ્રજાપતિ આશિષભાઈ તથા નિલેશભાઈ પટેલ અને રાજેશ ગોસરા એ યોગદાન આપેલ હતું તથા કાર્યક્રમની આભારવિધિ તક્ષશિલા સંકુલના સંચાલક રોહિતભાઈ સિણોજીયા દ્વારા કરવામાં આવી હતી.






Latest News