મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં નવો ડી.પી, બાંધકામ મંજૂરી સહિતના પ્રશ્નોને લઈને બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સના હોદેદારોએ ધારાસભ્યની આગેવાનીમાં સીએમને કરી રજૂઆત


SHARE













મોરબીમાં નવો ડી.પી, બાંધકામ મંજૂરી સહિતના પ્રશ્નોને લઈને બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સના હોદેદારોએ ધારાસભ્યની આગેવાનીમાં સીએમને કરી રજૂઆત

મોરબી મહાપાલિકા વિસ્તારમાં આયોજન પૂર્વક વિકાસના કામો હાથ ધરાઈ અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને મોરબી જિલ્લા બિલ્ડર એન્ડ લેન્ડ ડેવલપર્સ એસો.ના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા મોરબીના ધારાસભ્યની આગેવાનીમાં સીએમને રજૂઆત કરવા માટે ગાંધીનગર ગયા હતા અને મુખ્યમંત્રીએ તેઓની રજૂઆત સાંભળીને કોર્પોરેશનને લગતા પ્રશ્નોનો નિકાલ કરવાની ખાતરી આપી હતી.

મોરબી જીલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એશો.ના પ્રમુખ સંતોષભાઈ શેરસીયા સહિતના હોદેદારો અને બિલ્ડરો મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આગેવાની હેઠળ રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ પાસે મોરબીના વિકાસ માટે રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે ટંકારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પણ તેઓની સાથે ત્યાં જોડાયા હતા હાલમાં જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીને કાર્યરત કરવામાં આવે, હાલમાં શહેરમાં વર્ષ ૧૯૭૧ નો ડેવલોપમેન્ટ પ્લાન છે માટે નવો ડી.પી બનાવવામાં આવે, મહાપાલિકા બનતા પહેલા પાલિકામાં રજુ થયેલ અરજીઓ અને નવા સમાવિષ્ટ વિસ્તારોમાં થયેલ બાંધકામોને બીનખેતી હુકમ પ્રમાણે ઈમ્પેક્ટ ફી (GRUDA-2022) લઈને અરજીઓનો નિકાલ કરવામાં આવે, જ્યાં સુધી સતામંડળમાં ઝોનીંગ નક્કી ન થાય ત્યાં સુધી બીનખેતી હુકમ પ્રમાણે બાંધકામ મંજુરી આપવાની કાર્યવાહી કરવી, ગુજરાત સરકારના GDCR મુજબ મોરબીની હાલ D4 કેટેગરીમાં સુધારો કરી રાજકોટ, અમદાવાદ તથા સુરત જેવા શહેરોની જેમ હાઈરાઈઝડ બિલ્ડીંગોનું નિર્માણ થઈ શકે તેવી કેટેગરીમાં રાખવામા આવે, ઓનલાઈન બાંધકામ મંજુરી ઝડપથી તેમજ સરળતાથી મળી રહે તે માટે ઈ-નગર પોર્ટલ ઝડપી કાર્યરત કરવામાં આવે, મહાપાલિકામાં પ્રવર નગર નિયોજકની નવા DP ના ખાસ અધિકારી તરીકે નિમણુક કરવામાં આવે તેવી રજૂઆત કરેલ હતી ત્યારે મુખ્યમંત્રીએ તમામ રાજુયાતોને સાંભળીને કોર્પોરેશનને લગતા પ્રશ્નોનો નિકાલ કરવાની ખાતરી આપી હતી. જેથી સરકાર તરફથી મોરબીના બિલ્ડરોને હકરાત્મક સહકાર મળ્યો હોવાથી મોરબી જીલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એશો.ના પ્રમુખ સંતોષભાઈ શેરસીયાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.








Latest News