માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સેંકડો મુસાફરો, રાહદારીઓના તનમનને ટાઢક પહોંચાડવા કાચીકેરીના શરબતનું વિતરણ


SHARE

















મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સેંકડો મુસાફરો, રાહદારીઓના તનમનને ટાઢક પહોંચાડવા કાચીકેરીના શરબતનું વિતરણ
 
આ કાળઝાળ ગર્મી, અગનગોળો બનતા શહેરો અત્ર, તત્ર, સર્વત્ર ઝાંઝવાના જળની જેમ અંગ દજાડતી લુ નું સામ્રાજ્ય અને તેમાં પણ બપોરના સમયે મુસાફરી કરવા નીકળી એસટી ડેપોમાં પરસેવેથી ન્હાતા મુસાફરો.આવા કપરા સમયમાં પણ સેવાભાવી સંસ્થાઓ દ્વારા છાસથી માંડી લોકોના તનમનને ટાઢક પહોંચે છે તેવા સેવાકાર્યો મોરબી સહીત અનેક શહેરોમાં કરવામાં આવતા હોય છે, ત્યારે મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા પણ મોરબીના નવા બસ સ્ટેશન ખાતે ગરમીમાં શેકાતા મુસાફરો માટે ખાસ તન, મનને ટાઢક આપવા સાથે સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને ઉર્જા પુરી પાડનારૂ કાચીકેરીનું સરબત સંસ્થાના સભ્યોએ જાતે જ બનાવ્યુ અને નવા બસ સ્ટેશન ખાતે જાતે જ વિતરણ કર્યું હતુ.જેનો ૫૦૦ થી વધારે રાહદારીઓ અને મુસાફરોએ લાભ લીધો હતો અને ગરમીમાં રાહત મેળવી, ઠંડકનો અહેસાસ કર્યો હતો. જયારે સંસ્થાના મહિલા સભ્યોએ એક માનવસેવાનું વધુ એક કાર્ય કરી સંતોષ અનુભવ્યો હતો. સાથો સાથ સંસ્થાના સભ્યોએ આવનારા સમયમાં પણ અનેકવિધ સેવાકાર્યો કરવા સંકલ્પબદ્ધ હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.



Latest News