મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીના રામકુવા નજીક નશાની હાલતમાં કાર ચલાવતા શખ્સને ચેક કરતા બે બોટલ દારૂ પણ મળી


SHARE











મોરબીના રામકુવા નજીક નશાની હાલતમાં કાર ચલાવતા શખ્સને ચેક કરતા બે બોટલ દારૂ પણ મળી

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ત્રાજપરની સામેના ભાગમાં આવેલ રામકુવા નજીકથી સ્કોર્પિયો કાર નીકળી હતી અને તેને અટકાવીને ચેક કરવામાં આવતા ચાલક પીધેલી હાલતમાં હોય અને તેને કારની તલાસી દરમિયાન કારમાંથી બે બોટલ દારૂ મળેલ હોય ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રાજપરની સામે વાંકાનેર જતા હાઇવે ઉપર આવેલ રામકુવા નજીક શિવશક્તિ કોમ્પ્લેક્સ નજીકથી નીકળેલ કાળા કલરની સ્કોર્પીયો કાર નંબર જીજે ૨ ઇજી ૩૦૩ ને અટકાવવામાં આવી હતી.ત્યારે કુલદીપસિંહ દિલીપસિંહ જાડેજા (૩૬) રહે.હાલ રાતીદેવડી તા.વાંકાનેર મૂળ રહે.મયુર સોસાયટી ત્રાજપર પાસે સામાકાંઠે મોરબી-૨ નશાની હાલતમાં હોય તેમજ કારની તલાસી દરમિયાન કારમાંથી બે બોટલ દારૂ મળી આવતા રૂપિયા ૭૧૪ ની કિંમતનો દારૂ તથા રૂપિયા પાંચ લાખની કિંમતની કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે હાલ કુલદીપસિંહ જાડેજા સામે કેસ દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.જેની આગળની તપાસ મોમજીભાઇ ચૌહાણ ચલાવી રહ્યા છે.

વૃદ્ધનું મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા કચરાભાઈ સવાભાઈ મિયાત્રા નામના ૬૫ વર્ષના વૃદ્ધને અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અહીં જોઈ તપાસીને તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.હાર્ટ એટેકના લીધે તેમનું મોત નિપજયુ હોવાનું તપાસ અધિકારીએ જણાવે છે.

વાહન અકસ્માતમાં ઈજા

સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના સોખડા ગામે રહેતા કાળુભાઈ મંગાભાઈ ભરવાડ નામના ૪૬ વર્ષના યુવાન ગામમાં હતા અને ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં તળાવની પાળ પાસે અચાનક બાઇકની આડે ઢોર આડુ ઉતરતા વાહન સ્લીપ થતા ફેક્ચર જેવી ઈજાઓ સાથે અત્રે શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News