વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના રામકુવા નજીક નશાની હાલતમાં કાર ચલાવતા શખ્સને ચેક કરતા બે બોટલ દારૂ પણ મળી


SHARE





મોરબીના રામકુવા નજીક નશાની હાલતમાં કાર ચલાવતા શખ્સને ચેક કરતા બે બોટલ દારૂ પણ મળી

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ત્રાજપરની સામેના ભાગમાં આવેલ રામકુવા નજીકથી સ્કોર્પિયો કાર નીકળી હતી અને તેને અટકાવીને ચેક કરવામાં આવતા ચાલક પીધેલી હાલતમાં હોય અને તેને કારની તલાસી દરમિયાન કારમાંથી બે બોટલ દારૂ મળેલ હોય ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રાજપરની સામે વાંકાનેર જતા હાઇવે ઉપર આવેલ રામકુવા નજીક શિવશક્તિ કોમ્પ્લેક્સ નજીકથી નીકળેલ કાળા કલરની સ્કોર્પીયો કાર નંબર જીજે ૨ ઇજી ૩૦૩ ને અટકાવવામાં આવી હતી.ત્યારે કુલદીપસિંહ દિલીપસિંહ જાડેજા (૩૬) રહે.હાલ રાતીદેવડી તા.વાંકાનેર મૂળ રહે.મયુર સોસાયટી ત્રાજપર પાસે સામાકાંઠે મોરબી-૨ નશાની હાલતમાં હોય તેમજ કારની તલાસી દરમિયાન કારમાંથી બે બોટલ દારૂ મળી આવતા રૂપિયા ૭૧૪ ની કિંમતનો દારૂ તથા રૂપિયા પાંચ લાખની કિંમતની કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે હાલ કુલદીપસિંહ જાડેજા સામે કેસ દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.જેની આગળની તપાસ મોમજીભાઇ ચૌહાણ ચલાવી રહ્યા છે.

વૃદ્ધનું મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા કચરાભાઈ સવાભાઈ મિયાત્રા નામના ૬૫ વર્ષના વૃદ્ધને અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અહીં જોઈ તપાસીને તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.હાર્ટ એટેકના લીધે તેમનું મોત નિપજયુ હોવાનું તપાસ અધિકારીએ જણાવે છે.

વાહન અકસ્માતમાં ઈજા

સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના સોખડા ગામે રહેતા કાળુભાઈ મંગાભાઈ ભરવાડ નામના ૪૬ વર્ષના યુવાન ગામમાં હતા અને ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં તળાવની પાળ પાસે અચાનક બાઇકની આડે ઢોર આડુ ઉતરતા વાહન સ્લીપ થતા ફેક્ચર જેવી ઈજાઓ સાથે અત્રે શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News