મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મિશન નવ ભારત, એબીવીપી અને સનાતન યુવા ગ્રુપ દ્વારા આતંકી હુમલામાં શહિદ થયેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ


SHARE





મોરબીમાં મિશન નવ ભારત, એબીવીપી અને સનાતન યુવા ગ્રુપ દ્વારા આતંકી હુમલામાં શહિદ થયેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબીમાં મિશન નવ ભારતના હોદેદારો સહિતની ટીમે શનાળા રોડે આવેલ શહીદ સ્મારક ખાતે જઈને પહલગામમાં આતંકી હુમલા કરવામાં આવેલ હતો જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે ત્યારે તેઓના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આ ક્રૂર કૃત્ય કરનાર આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી આવી જ રીતે એબીવીપીની ટીમે શનાળા રોડે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે જઈને આતંકવાદી મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, ગોલી મારો સાલો કો દેશ કે ગદ્દારો કો જેવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. અને આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ ખાતે આંતકવાદીઓએ નિર્દોષ પર્યટકોની હત્યા કરી છે જેથી કરીને સનાતન યુવા ગ્રુપ મોરબીના સભ્યોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને સનાતન યુવા ગ્રુપ દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ છે. આવી જ રીતે હળવદમાં પણ આતંકવાદના વિરોધમાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આતંકવાદીઓની સામે આકરા પગલાં લેવાની માંગ કરી હતી




Latest News