મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત પાર્ટ-3: મોરબી જીલ્લામાં એકપણ પક્ષ સાથે જોડાયેલ આગેવાનનો સમાવેશ કર્યા વગર ખેડૂત આંદોલન માટે વિવિધ 6 કમિટીની રચના કરાઇ મોરબી તાલુકામાં એક જ રાતમાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી મોરબીના રામપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીના લાલપર પાસે બંધ પડેલા આઇસર ટ્રકની પાછળ રિક્ષા અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મિશન નવ ભારત, એબીવીપી અને સનાતન યુવા ગ્રુપ દ્વારા આતંકી હુમલામાં શહિદ થયેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ


SHARE







મોરબીમાં મિશન નવ ભારત, એબીવીપી અને સનાતન યુવા ગ્રુપ દ્વારા આતંકી હુમલામાં શહિદ થયેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબીમાં મિશન નવ ભારતના હોદેદારો સહિતની ટીમે શનાળા રોડે આવેલ શહીદ સ્મારક ખાતે જઈને પહલગામમાં આતંકી હુમલા કરવામાં આવેલ હતો જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે ત્યારે તેઓના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આ ક્રૂર કૃત્ય કરનાર આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી આવી જ રીતે એબીવીપીની ટીમે શનાળા રોડે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે જઈને આતંકવાદી મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, ગોલી મારો સાલો કો દેશ કે ગદ્દારો કો જેવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. અને આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ ખાતે આંતકવાદીઓએ નિર્દોષ પર્યટકોની હત્યા કરી છે જેથી કરીને સનાતન યુવા ગ્રુપ મોરબીના સભ્યોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને સનાતન યુવા ગ્રુપ દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ છે. આવી જ રીતે હળવદમાં પણ આતંકવાદના વિરોધમાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આતંકવાદીઓની સામે આકરા પગલાં લેવાની માંગ કરી હતી






Latest News